સાણંદ જલારામ મંદિરે આયુર્વેદ ઈલાજ નો તેમજ નેત્ર નિદાન કેમ્પ કે યોજાશે

કોઈપણ સ્ટેજ ના, કોઈપણ અંગના કેન્સર ની આયુર્વેદ નિશુલ્ક નિદાન ,સારવાર , દવાનો કેમ્પ વૈદ્ય અર્જુનનંદગીરી બાપુ , કાયાકલ્પ આયુર્વેદ ઔષધાલય,રાજકોટ( પંચદશનામ જુના અખાડા, જુનાગઢ ) (નાડી વૈદ) દ્વારા તારીખ 09/ 4 / 24 ને મંગળવાર ના રોજ શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ, સાણંદ સંચાલિત શ્રી જલારામ મંદિર (સત્સંગ હોલ ) ખાતે
સવારે 9 થી સાંજે 6 યોજાશે.કેન્સર સિવાયના કોઈપણ ગંભીર ,જટિલ અને વર્ષો જૂના રોગો માટે પણ ઉપચાર ખૂબ જ રાહત દરે કરવામાં આવશે .સાથે સાથે નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે . જેમાં વિનામૂલ્યે આંખના નંબરની તાપસ તેમજ રાહતદરે નંબરના ચશ્મા કાઢી આપવામાં આવશે ,નોંધણી તથા પૂછપરછ માટે
રમેશભાઈ 93777 96699, હરિભાઈ 94263 57138 નો સંપર્ક કરવા જણાવાયું છે.

Social