સાણંદમાં પ્રજાસત્તાક પર્વે અપાયો “નાના માણસના મોટા કામને બિરદાવતો “માનવ રત્ન એવોર્ડ”

સાણંદ સ્થિત માનવ સેવા નામની સંસ્થા નાના માણસના મોટા કામને બિરદાવવા
માટે “ માનવ રત્ન એવોર્ડ” દર વર્ષે એનાયત કરે છે. મુખ્ય પાંચ ક્ષેત્રમાં આ એવૉર્ડ
આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ઘનશ્યામભાઈ બાથમ ( સમાજ સેવા ક્ષેત્રે )જેઓ
કાલુપુર બેંકમાં સુરક્ષાકર્મી છે. , કાશીરામભાઈ વાઘેલા ( પર્યાવરણ ક્ષેત્રે ) પ્રાકૃતિ
ખેતીના પ્રચાર છે. , પ્રતાપભાઈ ઠાકોર ( લોક જાગૃતિ ક્ષેત્રે ) સામાજિક
વનીકરણની નર્સરીમાં કાર્યકર છે. , રેગીનાબેન ત્રિવેદી ( શિક્ષણ ક્ષેત્રે ) ધરજી
પ્રાથમિક શાળાના આચાર્યા , રેખાબેન પટેલ ( આરોગ્ય ક્ષેત્રે ) આંગણવાડી કાર્યકર
છે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. આ એવા વ્યક્તિઓ છે જેમને
પોત-પોતાના ક્ષેત્રમાં ઉમદા કાર્ય કર્યું છે. એમની આ સેવાને સન્માનિત કરવા માટે
આ એવોર્ડ આપવામાં આવેલ છે.

Social