સરી ગામ પાસે હાઇવે પર આઇસર ચાલકે યુ ટર્ન લેતા રોડ ક્રોસ કરતી મહિલા અડફેટે આવતા ઇજા પહોંચી

May 4th, 2024

બાવળાની મહિલા સાણંદના સરી પાસે મંદિરે દર્શન કરી પરત બાવળા જવા રોડ ક્રોસ કરતાં હતા ત્યારે હાઇવે પર જતાં આઇસર ચાલકે યુ ટર્ન લેતી વખતે મહિલાને અડફેટે લેતા મહિલાને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.
બાવળાના વૈશાલીબેન અશોકભાઈ પરમાર સરી પાટીયા પાસે આવેલ મેલડી માતાના મંદીરે દર્શન કરી બાવળા જવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક આઈસર ચાલક તેનુ આઈસર પુરઝડપે ચલાવી અમદાવાદ તરફ વાળતા વૈશાલીબેનને અડફેટે લેતા દેતા ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને સોલા સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. મહિલાએ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આઇસર ચાલક સામે ફરિયાદ કરી છે.

મોરૈયા હાઇવે પર બાઈક લઈને જતા યુવકનું આઇસરની ટક્કરે મોત

May 1st, 2024

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રંજીતગઢના રહેવાસી 27 વર્ષીય બદલુ રઘુવીર વર્મા પરિવાર સાથે બાવળાના કેરાળા ગામમાં રહેતા હતા,બદલુ વર્મા બાઈક પર બાવળા થી સરખેજ તરફ હાઇવે રોડ ઉપર જતો હતો. તે દરમ્યાન સાણંદના મોરૈયા નોવા કટ પાસે એક આઇશર ગાડીના ચાલકે બાઈક સાથે અકસ્માત કરતાં બદલ રઘુવીર વર્માને ગંભીર ઈજાઓ પહોંચતા બનાવ સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત અંગે બાબુભાઇ કમાભાઇ કો.પટેલએ ચાંગોદર પોલીસમાં આઇસર ચાલક સામે ફરિયાદ કરી છે.

ચાંગોદર પોલીસ દ્વારા ચુંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું ( અહેવાલ ગોપાલ મકવાણા).

April 30th, 2024

તાલુકાના ચાંગોદર પોલીસ દ્વારા મંગળવારે ચુંટણી ને અનુલક્ષી લોકો જાગૃત થાય અને વધુ મતદાન થાય તે માટે ઢોલ શરણાઈ સાથે ડરણ , લોદરીયાળ, મોડાસર, સરી મટોડા તેમજ ચાચરાવાડી વાસણા અલગ અલગ ગામોમાં ફેલગ માર્ચ કરવામાં આવ્યું હતું જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ગોજીયા તેમજ પીએસઆઇ સહિતચાંગોદર પોલીસ સ્ટાફ તેમજ આઈ ટી બીપી ને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી

ગોધાવી સુરજબા સમાજવાડી લોકાર્પણ સમારોહમાં શંકરસિંહ બાપુની ઉપસ્થિતિ — ગોધાવીથી રાજદીપસિંહ વાઘેલા લાઈવ :

April 28th, 2024

રવિવારે સાંજે સંત, સુરા અને દાતારો ની ભુમી એટલે કે વિરભૂમિ ગોધાવી નાં આંગણે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . ઐતિહાસિક ધરોહર અને સમાજના શુભ કે અનિવાર્ય પ્રસંગો માટે ગોધાવી ગામે સમાજવાડી બનાવવામાં આવી છે અને તેની પાછળ જે પણ પરિવારો એ યોગદાન અને સહકાર આપ્યો છે તેવા દાતા શ્રેષ્ઠીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ રાખેલ યોજાયો હતો . તદુપરાંત ગોધાવી ગામના તેમજ મૂળ ગોધાવીના પરંતુ ગામથી બહાર વસતા પરિવારો એકમંચ પર એકઠા થઈ ને એકતાનું એક ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું હતું. હાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ક્ષત્રિય સમાજના ઘરેણાં સમાન શંકરસિંહ વાઘેલાએ આ સમારોહમાં મુખ્ય મહેમાનનું પદ શોભાવ્યું છે.સાથે સાથે વંદનીય સદગુરુ પૂજ્ય આનંદનાથજી બાપુના આશીર્વાદ સાથે શેઠ વીડી શાળા ગોધાવી ના ટ્રસ્ટી રાજેન્દ્રભાઇ શેઠ સહીત ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મંચ પર બિરાજમાન છે ત્યારે કાર્યક્રમની સુંદર શરૂઆત થઇ છે .

સાણંદના વીરપુરા પાટિયા નજીક હાઇવે પર કારની ટક્કરે રીક્ષા પલ્ટી મારતા 1ઈસમનું મોત

April 25th, 2024

સરખેજથી રિક્ષામાં બેસી વઢવાણ માતાજીના મંદિરે દર્શન કરી પરત વિરમગામ સાણંદ હાઇવે પર જતાં હતા તે સમયે વીરપુરા પાટિયા નજીક હાઇવે પર કોઈ અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી મારતા રીક્ષા માં સવાર એકને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મોત થયું હતું.

  અમદાવાદના ફતેવાડી પાસે રહેતા પ્યારઅલી અજીજભાઈ ભીમાણી, હનીફભાઈ અજીજભાઇ ભીમાણી, તેઓની બહેન જાહેરાબેન અલ્તાફ હીમાણી અને સંજયભાઈ અમીરભાઈ ચંદ્રાણી (રીક્ષા ચાલક) રીક્ષામાં વઢવાણ ખાતે માતાજીના દર્શન કરવા ગયેલ હતા અને ત્યાંથી પરત સરખેજ જવા નીકળેલ હતા. ત્યારે સાણંદ હાઇવે રોડ ઉપ૨ વીરાપુરા ગામના પાટીયાથી નજીક એક ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે હંકારી રીક્ષાની જમણી બાજુથી સાઇડ લેવા જતા રીક્ષાને ટક્કર મારતા  રીક્ષા પલટી મારી જતાં  પ્યારઅલી, હનીફભાઇ તથા જાહેરાબેનને શરીરે ઇજાઓ થતાં  સારવાર માટે ખસેડયા હતા ત્યાંથી વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં હનીફભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સાણંદ GIDC પોલીસમાં નાસી ગયેલ કોઈ અજાણ્યા કાર ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો હતો.

ગોરજ ગામે અજાણ્યા શખ્સોએ આંગણવાડીના બંધ રૂમમાં પથ્થર નાખી નુકશાન કરતા લોકોમાં રોષ

April 24th, 2024

સાણંદ ના ગોરજ ગામે પંચાયતની બિલ્ડીંગ પાસે આવેલ આંગણવાડીમાં રાત્રે અજાણ્યા શખ્સોએ રૂમની બારીમાં રૂમમાં છુટા ઈટોના ઘા કરતા ખુરશી તૂટી ગઈ હતી અને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે ગામના સરપંચને જાણ કરતા તાત્કાલિક સરપંચ સહીત ગામ પંચાયતના સદસ્ય અગ્રણીઓ દોડી આવ્યા હતા. સમગ્ર મામલે ગોરજ ગામના સરપંચના પતિ પ્રભાતજી ઠાકોરએ સાણંદ પોલીસમાં લેખિતમાં રજુવાત કરી હતી.

સાણંદ તાલુકાના મટોડા ગામે બળિયાદેવ મહારાજ નો આળુદો યોજાયો : ગોપાલ મકવાણા.

April 19th, 2024

સાણંદ તાલુકાના મટોડા ગામે પરંપરાગત રીતે શુક્રવારે યોજાયેલ બળીયાદેવ મહારાજ ના અળુદા માં મોટીસંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી બળિયાદેવ મહારાજ ને શ્રીફળ ચઢાવી દર્શન કરી સમુહ ઠંડુ ભોજન કર્યું હતું.

ગોપાલ મકવાણા. ‌ *મોરૈયા તરફથી આવતું પાણી બંધ કરવા ખેડૂતોની માંગ *

April 7th, 2024

સાણંદના મટોડા ગામે ૪૦૦ વિધા ડાંગરના પાક માં નુકસાન થવાની ભીતિ…. સાણંદ તાલુકાના મટોડા ગામે ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગરની રોપણી કરેલી છે અત્યારે હાલ ડાંગર નો પાક તૈયાર થઈ ગયો છે આ અંગે નર્મદાના ઇરીગેશન વિભાગના અધિકારીઓને ટેલીફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે હાઇકમાનમા સમાવેશ થવાથી અમારે કાંઈ લેવાદેવા નથી ત્યારે મોરૈયા તરફથી ટીટોડીયા બંધમાંથી આવતું પાણી થી ખેતરોમાં ઢીંચણ સમાણું ડાંગર ના ઉભા પાક માં પાણી ફરી વળ્યું હતું મટોડામાં ૪૦૦ વીઘા થી વધારે ખેડૂતોને નુકસાન થાય તેમ છે તેથી પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે

સરી ગામ સમસ્ત દ્વારકા જતા યાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો : અહેવાલ ગોપાલ મકવાણા ( મટોડા).

March 15th, 2024

સાણંદ તાલુકાના સરી ગામ સમસ્ત આયોજિત દ્વારકા પગપાળા જતા ભક્તો માટે ભોજન ની વ્યવસ્થા ચોટીલા અને રાજકોટ નેશનલ હાઈવે વચ્ચે આવેલું કુવાડવા ગામ ખાતે રાખવામાં આવેલ છે આ કેમ્પમાં સાણંદ એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ સોલંકી તથા સરી ગામના સહયોગથી નવમા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પગપાળા જતા ભાવિક ભક્તોને સરી ગ્રામજનો સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેનો અનેક પદયાત્રિકો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે

ચાંગોદરમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર બાવળા તાલુકાનો યુવક સહિત સગીર પકડાયા

February 29th, 2024

તાજેતરમાં સાણંદના ચાંગોદરમાં નોકરીએ આવેલ ઈસમનું પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતાં પોલીસે બાવળા તાલુકાના ઢેઢાળ ગામના યુવક અને એક સગીરની અટકાયત કરી ચોરેલ બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર સાણંદના ચાંગોદરમાંની ખાનગી કંપનીમાં અમદાવાદમાં રહેતાં મહંમદ ઝૈદ મહંમદ હનીફ શેખ નોકરી કરે છે. ગત.10 ફેબ્રુઆરીએ ચાંગોદર ખાતે નોકરીએ આવેલ અને બાઇક કંપનીના સીમેન્ટના કોટની બહાર રૂદ્ર આરંભ ફ્લેટ તથા ચાંગોદર તરફ જવાના રોડ ઉપર પાર્ક કરી કંપનીમાં નોકરી ગયા હતા. તે દરમ્યાન પાર્ક કરેલું રૂ.30 હજારની અજાણ્યા ઇસમે ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે ચાંગોદર પોલીસે ફરિયાદ નોંધી હતી.
સગમ્ર ઘટનાને લઈને ચાંગોદર પી.આઈ આર.ડી.ગોજીયાએ તાત્કાલીક સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોરીમાં ગયેલ બાઇકને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસે ચોરને પકડવા માટે સી.સી.ટી.વી કેમેરા ચકાસણી તેમજ સાથે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોસર્સીની મદદ થી ચોરી કરેલ બાઇક અને બાવળા તાલુકાનાં ઢેઢાળ ગામના 27 વર્ષીય કલ્પેશભાઇ કાંન્તિભાઇ રાઠોડ અને એક કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરની પકડી લઈ લીધા હતા સાથે ચોરીમાં ગયેલ રૂ.30 હજારની કિંમતનું બાઇક કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.

સરી ગામ પાસે હાઇવે પર આઇસર ચાલકે યુ ટર્ન લેતા રોડ ક્રોસ કરતી મહિલા અડફેટે આવતા ઇજા પહોંચી

May 4th, 2024

મોરૈયા હાઇવે પર બાઈક લઈને જતા યુવકનું આઇસરની ટક્કરે મોત

May 1st, 2024

ચાંગોદર પોલીસ દ્વારા ચુંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું ( અહેવાલ ગોપાલ મકવાણા).

April 30th, 2024

ગોધાવી સુરજબા સમાજવાડી લોકાર્પણ સમારોહમાં શંકરસિંહ બાપુની ઉપસ્થિતિ — ગોધાવીથી રાજદીપસિંહ વાઘેલા લાઈવ :

April 28th, 2024

સાણંદના વીરપુરા પાટિયા નજીક હાઇવે પર કારની ટક્કરે રીક્ષા પલ્ટી મારતા 1ઈસમનું મોત

April 25th, 2024

ગોરજ ગામે અજાણ્યા શખ્સોએ આંગણવાડીના બંધ રૂમમાં પથ્થર નાખી નુકશાન કરતા લોકોમાં રોષ

April 24th, 2024

સાણંદ તાલુકાના મટોડા ગામે બળિયાદેવ મહારાજ નો આળુદો યોજાયો : ગોપાલ મકવાણા.

April 19th, 2024

ગોપાલ મકવાણા. ‌ *મોરૈયા તરફથી આવતું પાણી બંધ કરવા ખેડૂતોની માંગ *

April 7th, 2024

સરી ગામ સમસ્ત દ્વારકા જતા યાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો : અહેવાલ ગોપાલ મકવાણા ( મટોડા).

March 15th, 2024

ચાંગોદરમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર બાવળા તાલુકાનો યુવક સહિત સગીર પકડાયા

February 29th, 2024