ભારતીય જનમાનસમાં હ્રદયસ્થ: લોકભોગ્ય શ્રી કૃષ્ણ…!

September 1st, 2024

શ્રીકૃષ્ણ વિષે ઘણું લખાયું અને કહેવાયું છે. તેમની લાક્ષણિકતાઓ મુજબ તેમને અનેક નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેમને પ્રખર રાજનીતિજ્ઞ તો કોઈ તેમને મેનેજમેન્ટ ગુરૂ તરીકે પણ મુલવે છે. ધાર્મિક આસ્થા રાખનાર તેમના ભક્તિયોગને તો કર્મમાં માનનાર તેમના કર્મયોગને અનુસરે છે. પણ આજે આપણે એવા કૃષ્ણની વાત કરવી છે જે જન સામાન્યના હ્રદયમાં વસેલ છે. જે લોકભોગ્ય છે. જે લોક નજરે ગુઢ જ્ઞાનની પરે છે. આજે આપણે જાણવો અને માણવો છે માખણચોર બાળ ગોપાલને, ગોવાળિયાના કાનને, ગોપીના કાનને, રાધાના શ્યામને અને મુરલી મનોહર શ્યામને…!

કૃષ્ણ જીવનના વિવિધ તબક્કાઓને સામાન્ય જન સમુદાયના જીવન સાથે સરખાવીએ તો ઘણી સામ્યતાઓ ઊડીને આંખે વળગે છે. જે રીતે બાળ સ્વરૂપ નટખટ કાનુડો આસપાસના ઘરોમાં જઈને માખણચોરી કરતો તેવી જ રીતે આપણી આસપાસના બાળકોને પણ મોટાભાગે આડોસી-પાડોશીઓના ઘરે જ ખાવાનું ખાતા શીખતા હોય છે. જે રીતે લોક સમુદાયમાં બાળકોની ટોળકી ભેગી થઇ ધીંગામસ્તી કરતી જોવા મળે છે તે જ રીતે બાળ કૃષ્ણ પણ નિખાલસ ભાવે તેમના મિત્રો સાથે ગેડી દડો રમવા કે ગાયો ચારવા નીકળી પડતા. કૃષ્ણ અને જન સમુદાયના જીવનની આ સહજ સામ્યતાના કારણે જ કદાચ બાળપણમાં આપણામાંથી મોટાભાગના લોકોએ બાળ કૃષ્ણની વેશભૂષા ધારણ કરી હશે…!

કિશોરાવસ્થાના કૃષ્ણ નિરૂપણમાં આપણને સાંપ્રત સમયની કિશોરાવસ્થાની લાક્ષણિકતાઓ, મૂંઝવણ અને ખાસિયતો દ્રશ્યમાન થાય છે. તેને આપણે ગોવર્ધન પર્વતને ઉચકીને બતાવેલ સાહસિકતા કે ગેડીદડાની રમત દરમિયાન પાતાળ લોકમાં શેષનાગ પાસે દડો લેવા જવાનું જોખમ ઉઠાવવાની ઘટના સાથે મુલવી શકીએ. કિશોરાવસ્થા દરમિયાન થતું વિજાતીય આકર્ષણ એ આપણને સહજ રીતે ગોપીઓના કાનમાં દ્રશ્યમાન થાય છે. ગોપીઓ કૃષ્ણ પર જયારે પોતાનો હક જમાવતી, પ્રેમ વરસાવતી હોય ત્યારે નરસિંહ મહેતાનું ભજન યાદ આવે “કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…”

વાંસળીના સુમધુર સૂરોના માધ્યમ થકી કૃષ્ણ; મુંઝવતા પ્રશ્નોના યોગ્ય ઉકેલ અર્થે સ્વ સાથે સંવાદ કરી આત્મ ખોજનો અહેસાસ કરતા હોય તેમ પ્રતીત થાય છે. કિશોરાવસ્થામાં મિત્રો બનાવવામાં અને મિત્રતા નિભાવવામાં પણ કૃષ્ણ આજના કિશોર-કિશોરીઓ કરતા જરા પણ ઉતરતા નથી અને માટે જ આજે પણ વધુ મિત્રો ધરાવનારને કિશોર-કિશોરીઓ એકબીજાને કાનુડો અને ગોપી શબ્દ પ્રયોગથી નવાજતા જોવા મળે છે.

       વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતા યુવા હૈયા અને તેનો જોરશોરથી વિરોધ કરનાર કટ્ટર હિન્દુત્વવાદી યુવાનોને એ વાતનો ખ્યાલ હોવો ખુબ જ જરૂરી છે કે યુવાવસ્થાના થનગનાટથી ભરપૂર શ્રીકૃષ્ણ તો પ્રેમના પરમેશ્વર છે. રાધા ઘેલા શ્યામનો પ્રેમ કોઇથી છૂપો નથી. તે જગ જાહેર છે. આજે પણ વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં ભારતીય જન સમુદાય રાધેક્રિષ્નાનો જયકાર કરી તેમને પૂજે છે. આ બાબતે તો ખુદ કૃષ્ણ પણ વિચારતો હશે કે આ તો કેવી વિટંબણા કે જે માનવી મારામાં ભરપૂર આસ્થા રાખે છે તે જ માનવી જે મારી રાહ પર ચાલે છે તેમનો જોરશોરથી વિરોધ કરે છે. અહો આશ્ચર્યમ…!

       ગાયોને ચરાવવા જવાનું હોય કે ગોવર્ધન પર્વતની વાત હોય, કૃષ્ણનું કુદરત સાથેનું તાદાત્મ્ય આજે પણ આપણને છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવની પ્રતીતિ કરાવે છે. કૃષ્ણની રાસલીલા; જીવનરૂપી સંસારને સંગીત અને નૃત્યના સમન્વય થકી તાલ અને લયબદ્ધ રીતે જીવન જીવવા પ્રેરણા આપે છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને અધર્મ સામે ધર્મનો વિજય શા માટે જરૂરી છે તેનું જ્ઞાન આપતા કૃષ્ણ આપણને સૌને જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનો દ્રઢતાપૂર્વક સામનો કરવા પ્રેરણા આપતા શ્રીમદ ભાગવત ગીતાની રાહે ચાલવાનું સૂચવે છે.    

કહેવાતા ધર્મ રક્ષકો અને કેટલાક હિન્દુત્વવાદીઓએ કૃષ્ણને માત્ર મંદિર, પૂજા, પાઠ અને કર્મકાંડ પૂરતા સીમિત કરી દીધા છે. પરંતુ કુષ્ણ તો સહજ, સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે. સૌની સાથે અને સૌની પાસે જ છે અને માટે જ કૃષ્ણએ શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે, सर्वस्य चाहं हृदि सन्निविष्टो અર્થાત “હું સર્વના હ્રદયમાં અંતર્યામી રૂપે રહેલો છું”.

અંતમાં કવિશ્રી કૃષ્ણ દવે રચિત આધુનિક યુગ માટેનું કૃષ્ણ કાવ્ય…

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.

ઇતિહાસની સૌથી મોટી હિજરત!

September 1st, 2024

અહીં, આ લેખની પાછળ જે હેતુ છે તે માત્ર આઝાદી પછી તરત ભાગલાના જે અત્યંત ઘાતક અને અકલ્પનીય પરિણામો આવા પણ હતા, તે દર્શાવવાનો જ નથી પરંતુ પાઠકો પોતાની વિવેક બુદ્ધિના સહારે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિ અને ભાગલાની વેદના અને પીડા ના ભોગ બનેલા માનવી કેવી હૈવાનીયત પર ઉતરી પડે છે તેનો તાદ્શ ચિતાર સમજે અને ભ્રાંતિઓમાં ના પડે તે આશય છે.
છ અઠવાડિયા સુધી, દુનિયાના ઇતિહાસમાં કદી ન નોંધાયેલી એવી તથા જેની વ્યાપકતાની કલ્પના તે વખતના સમકાલીનોને પણ આવવી અશક્ય હતી એવી અવિચારી બર્બરતા આખા પંજાબ ઉપર ફરી વળવાની હતી.
રેડકલીફે નાખેલી લાઇનદોરી મુજબ પાકિસ્તાનને ભાગે જતા પંજાબમાં 50 લાખ શીખો અને હિન્દુઓ રહી જતા હતા અને ભારતને ભાગે જતા પંજાબમાં લગભગ એટલા જ મુસ્લિમો, મુસ્લિમ નેતાઓએ પાક એવા પાકિસ્તાનમાં હિન્દૂ વ્યાજખોરો બનિયાઓ અને ઝનૂની શીખ જમીનદારો મુસલમાનો ને ચૂસવા અને લૂંટવા નહીં રહે એવો પ્રચાર કર્યો હતો; પણ તેઓ તો પાકિસ્તાનમાં તેમની આટલી મોટી માલમિલક્તો સાથે મોજુદ રહેવાના હતા, એ શું? એટલે મુસ્લિમ ટોળાઓ માતો એક જ નારો બુલંદ થઇ રહ્યો કે, જો પાકિસ્તાન દેશ આપણો જ છે. તો તેમાંથી બધી સંપત્તિ, દુકાનો, વાડીઓ, જાગીરો, મહેલાતો અને કારખાના પણ આપણા જ છે. હિંદુઓને અને શીખોને તે બધા ઉપર કશો હક હોઈ શકે નહીં!
બીજી બાજુ, ભાગલાની લાઇનદોરીની સામી બાજુ પોતાના, જે શીખ બન્ધુઓ પાકિસ્તાનમાં રહી જવાના હતા તેમને આ તરફ કાઢી લાવવા શીખો ઉતાવળા થઇ ગયા.
ગુરખા ટુકડીને લઇ કેપ્ટન એટકિન્સ જયારે લાહોરમાં દાખલ થયો, ત્યારે ત્યાં તેને જે હસ્ય નજરે પડ્યું, તે પ્રત્યક્ષ દેખવા છતાં સાચું માનતા મન પાછું પડે લાહોરની ગટરો લોહીથી જ ઉભરાતી હતી પૂર્વ તરફનું પેરિસ ગણાતું એ શહેર ઠેક ઠેકાણે હિન્દૂ લત્તાઓમાં એક સામટી લગાડવામાં આવેલી આગોથી દોજખનો અવતાર ધારણ કરી રહ્યું હતું. ભારત તરફ નાસી છૂટવા ઇચ્છતા હિંદુઓ સલામતી માટે એટકિન્સ ને 25,000, 50,000, હીરા – મોતી ઝવેરાત જે માંગે તે આપવા તૈયાર થઇ ગયા.
પાસેના અમૃતસરમાં મુસ્લિમ વિસ્તારોની ઈંટ થી ઈંટ બજી રહી હતી અને તેમની ઉપરથી ઉઠતો ધુમાડાનો થાંભલો આકાશ વીંધતો ક્યાંય સુધી ઉંચે ચાલ્યો જતો હતો. લાયલપુરમાં કાપડની એક મિલમાં બધા મુસ્લિમ કારીગરો એ શીખ કારીગરોને કાપી નાખ્યા હતા અને પાસેની નહેરમાં પાણીને બદલે હિન્દુઓ અને શીખોના મડદાં જ ઉભરાઈ રહ્યા હતા.
અને તમારો ખૂની તમારો દુશમન જ હોવો જોઈએ, એવું ક્યાં હતું ? મોન્ટ ગોમરી બજારમાં નિરંજન સિંઘ ચાનો વેપારી હતો તેણે પંદર વર્ષ સુધી રોજ એક મુસલમાન મોચીને આસામની ચાનો એક પ્યાલો દોસ્તીને નાતે પિવરાવ્યા કર્યો હતો. ઓગસ્ટની એક સવારે તે માણસ જ દોડતો – દોડતો ચાની દુકાનમાં, દાખલ થયો અને પાછળ આવેલા ટોળાને સંબોધીને કહેવા લાગ્યો, ‘આ રહ્યો શીખડો તેને કાપી નાખો.
થોડી વારમાં જ તેના પોતાના, 90 વર્ષના વૃદ્ધ બાપના એકના એક પુત્રના ટુકડે – ટુકડા કરી નાખવામાં આવ્યા. તેની 18 વર્ષની જુવાન છોકરીને પેલો મોચી જ ખભે નાખીને ઉપાડી ગયો કેટલાક જિલ્લાઓમાં તો એકે ગામડું આખું ઉભું રહ્યું ન હતું કે ન હતું એક બજાર સળગાવ્યા વિનાનું.
મુસ્લિમ વિસ્તારમાં કેટલીક વાર હિન્દુઓને પાકિસ્તાન છોડીને ભાગી જવાનો કે મુસલમાન થવાનો વિકલ્પ સૂચવવામાં આવતો. લાયલપુરની પશ્ચિમે આવેલા એક ગામડાના હિન્દુઓને એક પાડોશના ગામની મસ્જિદમાં પુરવામાં આવ્યા. ત્યાં તેવા કુલ 300 જણ ભેગા કરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યુંકે, મુસલમાન તૈયાર થાઓ કે મરવા તૈયાર થાઓ.
બધા મુસલમાન તૈયાર થયા. તેમને બધાને મુસલમાન નામો આપવામાં આવ્યા અને પછી કુરાનમાં થી કલમાં પઢાવવામાં આવ્યા. ત્યાર બાદ આંગણામાં એક આખી ગાય ભુંજાવેલી તૈયાર રાખેલી તેનું માસ તોડી તોડીને દરેકના મોમાં ખોસવામાં આવ્યું, જે ઓકી કાઢે તેનું પેટ કટાર થી તરત ચીરી નાખવામાં આવે. એક બ્રાહ્મણ તે ટોળામાં હતો તે એમ કહીને છટક્યો કે આવા શુભ અવસરે ગાયનું માંસ ખાવાતે પોતાના પવિત્ર પાત્રો ઘેર થી લઇ આવવા તૈયાર છે. મુસલમાનોએ ખુશ થઇને તેને જવા દીધો. તેણે ઘેર જઈ સંતાઈ ગયેલી પત્ની અને ત્રણે બાળકોના ગળા કાપી નાખી, પોતાના પેટમાં છરી ખોસી દીધી.
શિયાળકોટનો પ્રાણસીંઘ મોટો શાહૂકાર હતો. તેની પાસે ખુબ ધનસંપત્તિ તથા ગીરો મુકવામાં આવેલા ઘરેણાં – ગાંઠા હતા. પ્રાણસીંઘે મુસ્લિમ ટોળાનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો, તેની પત્નીએ પોતાની છયે દીકરીઓને પાસે બોલાવી તથા પોતાની ઉપર ઘાસતેલ ભરેલો ડબ્બો ઠાલવી દીધો અને દીવાસળી ચાંપી દીધી પોતાની દીકરીઓને પણ મુસલમાનોને હાથે પીંખાવા કરતા પોતાની રીત અપનાવવા માટે તેણે મરતા પહેલા આગ્રહ કર્યો. છ માંથી ત્રણ દીકરીઓ માંના દાખલાનું અનુસરણ કર્યું ઉપર પ્રાણસીંઘ પાસે જયારે પાંચ જ કારતુસ બાકી રહી ત્યારે મુસ્લિમ ટોળું પાછું પડ્યું અને ભાગી ગયું. થાકેલો પ્રાણસીંઘ નીચે આવ્યો ત્યારે પોતાની પત્ની અને ત્રણ પુત્રીઓનાં બળી ગયેલા મડદા જોઈને ઠરી ગયો.
અનેક સ્ત્રીઓએ ધાવતા બાળકો સાથે ઘરમાં આગ લગાડી બળી મરવાનો માર્ગ લીધો હતો. પંજાબી કુટુંબોમાં એકે એવું બાકી રહ્યું નહતું જેણે કોઈ ને કોઈ સગુંવહાલું એ દિવસોમાં ગુમાવ્યું ન હોય.
એક સ્ટેશને ટ્રેન આવીકે હિન્દુશીખોને ટોળે ટોળા અંદર બહાર, છાપરાં ઉપર ભચડાઈને ભરી ગયા. પતિ પત્ની થી, પિતા પુત્રથી, પુત્રી માતાથી અને બાળકો માતા પિતાથી છૂટા પડી જતા. જયારે ધુમાડા ઓકતું અને સીટી બજાવતું એન્જિન ઊપડ્યું ત્યારે ખબર પડીને ટ્રેન પાછળ જ રહી ગઈ છે. તે જ વખતે ઝનૂની અને લૂંટારૂ મુસલમાનોના ટોળા ‘અલ્લાહુ અકબર’ પોકરો કરતાં ડબ્બાઓ ઉપર ટુટી પડ્યા. જુવાન છોકરીઓને ખેંચી ખેંચીને દૂર લઇ તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને જયારે તેઓ બેભાન થઈજાય ત્યારે સ્ટેશન ઉપર કુવામાં તેમને ઢબૂરી દેવામા આવી. એ ટ્રેનમાં બેઠેલા કુલ 2000 સ્ત્રી પુરુષોમાંથી ઘાયલ થયેલાકે નાસી છુટેલાં મળી ભાગ્યે 100 માણસો જીવતા રહ્યા હશે.
એક રેલવે ટ્રેનતો ભારતની સરહદથી 14 માઈલ દૂર રહી ત્યારે તેની ગતિ એકદમ ધીમી પડી દેવામાં આવી અને ચાલુ ગાડી એજ મુસલમાન ટોળા તેની ઉપર ચડી ગયા સ્ત્રીઓ પાસેથી ઘરેણાં, બંગડીઓ, વાળીએ, ચુનીઓ વગેરે લૂંટી લેવામાં આવ્યું અને પછી જુવાન સ્ત્રીઓને ડબ્બાની બહાર કાઢી લઇ, બાકીના બધાની કતલ કરી નાખવામાં આવી.
રેલ્વેના પાટાઓ ઉખાડી નાખવામાં આવે એન્જિનથી થોભાવવામાં આવે, પુરુષોની કતલ તો તેમની ઇન્દ્રિયો ખુલ્લી કરીને જોયા બાદજ કરવામાં આવે પાકિસ્તાન તરફ જેમની સુન્નત ન કરવામાં આવી હોય તેમની અને ભારત તરફ જેમની સુન્નત કરવામાં આવી હોય તેમની (આવતા અંકે પૂણાહૂતિ) (મધરાતે આઝાદી અને ગાંધીજીની હત્યાની કહાણી) માંથી સાભાર.

ધ બિઝનેસમેનનો પરિપ્રેક્ષ્ય: માર્કેટિંગ અને તેની વ્યૂહરચના

September 1st, 2024

આજના સ્પર્ધાત્મક વ્યાપાર વાતાવરણમાં, માર્કેટિંગ માત્ર ઉત્પાદનોને પ્રમોટ કરવા ઉપરાંત વિસ્તરે છે; કંપનીની વૃદ્ધિ અને ટકાઉપણું માટે તે આવશ્યક વ્યૂહાત્મક કાર્ય છે. આને સમજીને, ઉદ્યોગપતિએ માર્કેટિંગનો સર્વગ્રાહી અને વ્યૂહાત્મક પ્રયાસ તરીકે લાભ લેવો જોઈએ. અહીં માર્કેટિંગ વ્યૂહરચનાના આવશ્યક ઘટકોમાં ઊંડાણપૂર્વક ડાઇવ છે:

1. બજાર સંશોધન:

બજાર સંશોધન એ કોઈપણ સફળ માર્કેટિંગ વ્યૂહરચનાનો આધાર છે. તેમાં બજારના વલણો, ગ્રાહક પસંદગીઓ અને સ્પર્ધાત્મક ગતિશીલતા વિશેના ડેટાને એકત્ર કરવા અને તેનું વિશ્લેષણ કરવાનો સમાવેશ થાય છે. આ સંશોધન દ્વારા, વ્યવસાયો ગ્રાહકોને શું જોઈએ છે અને શું જોઈએ છે તેની સમજ મેળવે છે, જે તે જરૂરિયાતોને પૂરી કરતા ઉત્પાદનો અથવા સેવાઓને ડિઝાઇન કરવામાં મદદ કરે છે. સારી રીતે ચલાવવામાં આવેલ બજાર સંશોધન યોજના જાણકાર નિર્ણયો લેવા અને બજારના જોખમો ઘટાડવા માટે નક્કર પાયો પૂરો પાડે છે.

2. ગ્રાહક વિભાજન:

અસરકારક માર્કેટિંગ માટે તમારા ગ્રાહકો કોણ છે તેની સ્પષ્ટ સમજ જરૂરી છે. ગ્રાહક વિભાજનમાં વિવિધ માપદંડો જેમ કે વસ્તી વિષયક, સાયકોગ્રાફિક્સ અને ખરીદીની વર્તણૂકના આધારે બજારને અલગ-અલગ જૂથોમાં વિભાજીત કરવાનો સમાવેશ થાય છે. આ અભિગમ વ્યવસાયોને અનુરૂપ માર્કેટિંગ સંદેશાઓ અને ઝુંબેશ બનાવવા માટે સક્ષમ કરે છે જે દરેક સેગમેન્ટ સાથે પડઘો પાડે છે. ચોક્કસ જરૂરિયાતો અને પસંદગીઓને સંબોધીને, વ્યવસાયો તેમની સગાઈ વધારી શકે છે અને વધુ લક્ષિત પરિણામો લાવી શકે છે.

3. બ્રાન્ડ પોઝિશનિંગ:

બ્રાન્ડ પોઝિશનિંગ એ ગ્રાહકોના મનમાં એક અનોખી છબી અને ઓળખ બનાવવા વિશે છે. તેમાં તમારી બ્રાન્ડનો અર્થ શું છે અને તે સ્પર્ધકોથી કેવી રીતે અલગ પડે છે તે વ્યાખ્યાયિત કરવાનો સમાવેશ થાય છે. મજબૂત બ્રાન્ડ પોઝિશન ગ્રાહકની વફાદારી વધારવામાં અને સ્પર્ધાત્મક ધાર સ્થાપિત કરવામાં મદદ કરે છે. તમારી બજારની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે તમારી બ્રાન્ડના મૂલ્યો અને લાભોનો સ્પષ્ટપણે અને સતત તમામ માર્કેટિંગ ચેનલોમાં સંચાર કરવો મહત્વપૂર્ણ છે.

4. ડિજિટલ માર્કેટિંગ:
ડિજિટલ યુગમાં, ઑનલાઇન માર્કેટિંગ વ્યૂહરચના અનિવાર્ય છે. ડિજિટલ માર્કેટિંગમાં સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO), કન્ટેન્ટ માર્કેટિંગ, સોશિયલ મીડિયા એંગેજમેન્ટ અને ઇમેઇલ ઝુંબેશ જેવી વિવિધ યુક્તિઓનો સમાવેશ થાય છે. આ સાધનો વ્યવસાયોને વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવામાં, બહુવિધ પ્લેટફોર્મ્સ પર ગ્રાહકો સાથે જોડાવા અને વિશ્લેષણ દ્વારા તેમના માર્કેટિંગ પ્રયાસોની અસરકારકતાને માપવામાં મદદ કરે છે. સંબંધિત અને સ્પર્ધાત્મક રહેવા માટે ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચનાઓને સ્વીકારવી મહત્વપૂર્ણ છે.
 
5. વ્યૂહાત્મક આયોજન અને અનુકૂલન:
સફળ માર્કેટિંગ વ્યૂહરચના માટે સતત આયોજન અને સુગમતા જરૂરી છે. વ્યવસાયોએ સ્પષ્ટ ઉદ્દેશ્યો નક્કી કરવા જોઈએ, ચોક્કસ ક્રિયાઓની રૂપરેખા દર્શાવતી વ્યૂહાત્મક યોજના વિકસાવવી જોઈએ અને લક્ષ્યો સામે પ્રદર્શનની નિયમિત સમીક્ષા કરવી જોઈએ. બજાર, ઉપભોક્તા વર્તણૂક અને ઉભરતા પ્રવાહોમાં ફેરફારોને અનુકૂલન એ સુનિશ્ચિત કરે છે કે માર્કેટિંગ વ્યૂહરચના અસરકારક રહે છે અને વ્યવસાયના ઉદ્દેશ્યો સાથે સંરેખિત રહે છે.
 
6. ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન:
લાંબા ગાળાની સફળતા માટે ગ્રાહકો સાથે મજબૂત સંબંધો બાંધવા અને જાળવવા નિર્ણાયક છે. ઇફેક્ટિવ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (CRM)માં ગ્રાહકની જરૂરિયાતોને સમજવી, ચિંતાઓને તાત્કાલિક દૂર કરવી અને વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા વફાદારી વધારવાનો સમાવેશ થાય છે. મજબૂત CRM વ્યૂહરચના ગ્રાહકોને જાળવી રાખવામાં અને પુનરાવર્તિત વ્યવસાયને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, જે ઘણીવાર નવા ગ્રાહકો મેળવવા કરતાં વધુ ખર્ચ-અસરકારક હોય છે.
 
 માર્કેટિંગ એ બિઝનેસ વ્યૂહરચનાનો એક ગતિશીલ અને અભિન્ન ભાગ છે. બજાર સંશોધન, ગ્રાહક વિભાજન, બ્રાંડ પોઝિશનિંગ અને ડિજિટલ ટૂલ્સનો લાભ લઈને, વ્યવસાયો પ્રભાવશાળી માર્કેટિંગ વ્યૂહરચના બનાવી શકે છે જે વૃદ્ધિને વેગ આપે છે અને તેમની બજારની હાજરીમાં વધારો કરે છે. નિયમિતપણે ફેરફારો સાથે અનુકૂલન અને મજબૂત ગ્રાહક સંબંધો જાળવી રાખવાથી તેમનો સ્પર્ધાત્મક લાભ વધુ મજબૂત બનશે અને સતત સફળતાની ખાતરી થશે.

तन्मे मनः शिव संकल्पमस्तु

September 1st, 2024

कर्पूर गौरम करुणावतारंसंसार सारं भुजगेन्द्र हारं। सदा वसंतं हृदयार विन्दे_भवं भवानी सहितं नमामि॥ જે કપૂર જેવા ગોર વર્ણવાળા છે, કરુણાના અવતાર છે, સંસારનો સાર છે અને નાગનો હાર ધારણ કરે છે, તે ભગવાન શિવ, માતા ભવાની સહિત મારા હૃદયમાં કાયમ નિવાસ કરે, તેમને હું નમન કરું છું. કોઈપણ દેવી-દેવતા ની આરતી પછી કપૂર ગૌરવ આરતી બોલાતી હોય છે. ભગવાન શિવ અને પાર્વતી જગતના માતા પિતા છે એટલા માટે જ કહેવાય છે જગત પિત્તરો વંદે પાર્વતી પરમેશ્વરો. ભગવાન શિવ આદિ યોગી અથવા પહેલા યોગી છે, જે આદી ગુરુ અથવા પહેલા ગુરુ પણ છે.શિવ સૌથી વધુ ધ્યાનસ્થ મુદ્રા માં છે. શિવ જ સર્વસ્વ છે. ભગવાન રામ શિવ નું પૂજન કરે,ભગવાન વિષ્ણુ શિવ પૂજન કરે,ભગવાન કૃષ્ણ પણ શિવ પૂજન કરે. શિવ હોય ત્યાં શક્તિ અવશ્ય હોય જ છે. આવા ભગવાન શિવ નું ખુબજ ભાવ થી પૂજન અર્ચન કરવું જોઈએ. રુદ્રાષ્ટાધ્યાયના દસમાં અધ્યાયમાં ભગવાન શિવ વિશે કહેવાયું છે. તમે જ સૂર્ય છો, તમે જ ચંદ્ર છો, તમેજ વાયુ છો. તમે જ આકાશ છો તમે જ પાતાળ છો. તમે જ સર્વસ્વ છો. પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ સવિશેષ હોય હવે આવતો છેલ્લો સોમવાર એટલે સોમવતી અમાસ જે ભગવાન મહાદેવ ને અતિ પ્રિય હોય છે. અમાસના દિવસે સોમવાર હોય તેનું અનેક ગણું મહત્વ વધી જતું હોય છે, તેથી આપણે તેનું અનેક ઘણું મહત્વ સમજી શિવ પૂજન કરવું જોઈએ શિવ પૂજન માત્ર શ્રાવણના સોમવાર કે શ્રાવણ માસ દરમ્યાન જ નહીં 365 દિવસ શિવ પૂજન કરવું જોઈએ અને સવિશેષ જિંદગીના અંતિમ શ્વાસ સુધી ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ જે ભગવાન મહાદેવ નું સ્મરણ કરે તેનું મરણ પણ ખૂબ સારું અને કલ્યાણકારી હોય છે. બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન સદાશિવ, અષ્ટમૂર્તિ, દેવાધિદેવ મહાદેવ તેમજ તમામ દ્વાદશ જ્યોતિર્લિંગ સર્વે નું કલ્યાણ કરે તેવી ભગવાન મહાદેવના ચરણ કમલ માં અંતઃકરણપૂર્વક પ્રાર્થના…. II ૐ નમઃ શિવાય ..II હર હર મહાદેવ….હર

II तन्मे मनः शिवसंकल्पमस्तु II

August 4th, 2024

શિવ ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ભગવાન મહાદેવને અતિપ્રિય તેવા સોમવારથી થઈ રહીઁ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે.શ્રાવણ માસની શરૂઆત સોમવાર થી થાય છે અને અંત પણ સોમવાર થી થાય છે. 72 વર્ષ પછી શ્રાવણ માસ ની શરૂઆત સોમવાર અને અંત પણ સોમવાર થી થઈ રહ્યો છે. સોમવાર મહાદેવજી ને ખુબજ પ્રિય છે. સોમ એટલે ચંદ્ર જે ભગવાન મહાદેવના મસ્તક પર બિરાજમાન છે.ભગવાન મહાદેવને શિવમ્ શાંતમ કહેવામાં આવે છે.ભગવાન મહાદેવ ખુબજ શાંતિ પ્રિય છે.મહાદેવજીને મૌન ખુબજ પ્રિય છે. મહાદેવ માં જઈને થોડો સમય મૌન રહેવું જોઈએ. સોમવારે જેટલું રહેવાય તેટલું મૌન રહેવું જોઈએ.મૌન માં ખુબજ ઊર્જા રહેલી છે. તમે પ્રેક્ટિકલ કરી શકો છો.મંત્રો જોરથી બોલીને શિવ પૂજા કરો અને મૌન રાખી ને શિવ પૂજા કરો તમને આપો આપ મૌન નો પાવર સમજાઈ જશે. બોલ બોલ કરવું બહુ મોટી વાત નથી શાંત અને મૌન રહેવું ખુબજ અઘરું છે.ભગવાન મહાદેવ ની શાંત મુદ્રા એ મૌન મુદ્રા છે.ઘણા બધા શિવ ભક્તો ને એમ થાય કે શ્રાવણ માસ માં કયા મંત્ર ના જાપ કરવા જોઈએ. આપણી શ્રદ્ધા જે મંત્ર માં હોય તે મંત્ર સૌથી શ્રેષ્ઠ હોય શકે. મારા મત મુજબ ૐ નમઃ શિવાય થી બીજો કોઈ મંત્ર શ્રેષ્ઠ અને સરળ નથી.હા,વૈદિક મત્રોનું ખુબજ ગૂઢ રહસ્ય છે. તનમે મનઃ શિવ સંકલ્પમસ્તું એટલે અમારું મન શિવમય થાય. આ મંત્ર રુદ્રાસ્ટાધ્યાયીનો નો પ્રથમ અધ્યાય નો મંત્ર છે. મહાદેવમાં પ્રવેશ કરી સૌપ્રથમ ગણેશ વંદના કરવી જોઈએ ત્યારબાદ હનુમાન વંદના અને મા ભગવતી ને વંદન કર્યા પછી જ ભગવાન મહાદેવનું પૂજન અર્ચન થઈ શકે. ભગવાન મહાદેવને કાર્તિકે ખૂબ જ પ્રિય હોય તેમનું પણ સ્મરણ કરવું જોઈએ.પવિત્ર શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ ભગવાન મહાદેવ સૌનું કલ્યાણ કરે ટીવી ભગવાન મહાદેવને અંતઃકરણપૂર્વક પ્રાર્થના .. II तन्मे मनः शिव सङ्कल्पमस्तु II

પહેલાં કોણ
છોડ કે રણછોડ?

August 4th, 2024

આજનો માનવી ગામડાં ને શહેર બનાવવાની અને શહેરો ને મહાનગરો બનાવવા ની ઘેલસા મા આજે અનહદ્ રીતે વર્ષો જૂના અને ઘેઘૂર વૃક્ષો નું નિકંદન કાઢી રહ્યો છે. જે ખરેખર ખૂબ ચિંતા નો વિષય છે આપણે માની પણ લઈએ કે ડેવલપમેન્ટ માટે વૃક્ષો કાપી ત્યાં નવું સ્ટ્રકચર બનાવવું જરૂરી છે કારણ કે લોકો ની માંગ છે પણ શું કાપેલા વૃક્ષો ના બદલા માં અન્ય સુરક્ષિત જગ્યાએ બીજા વૃક્ષો વાવવા એ આપણી જવાબદારી નથી? શું આપણે અન્ય જગ્યાએ નવા વૃક્ષો કે વાવેલા વૃક્ષો નું જતન ન કરી શકીએ? જરૂર કરી શકીએ પરંતુ અફસોસની વાત છે કે આ વાત પર આપણે ખૂબ ઊણાં ઉતર્યા છીએ આપણો‌ સ્વાર્થ પત્યો એટલે કયું વૃક્ષ અને કયું ઝાડ! જેટલી જોઈએ તેટલી પ્રકૃતિ જતન ની ભાવના આપણા હ્દય માં નથી પ્રગટતી. પણ હા અમુક સેવાભાવી વ્યક્તિ અને પ્રકૃતિ પ્રેમી સંસ્થા છે જે આવા અતિ મહત્વ ના મુદ્દા પર ઉમદા કાર્ય કરે છે.

પ્રકૃતિ નું જતન કરવું એ આપણી નૈતિક ફરજ હોવી જોઈએ. પણ આજના સ્વાર્થ સમય માં શું નિતીમતા કે શું નૈતિકતા? સૌ સૌના સ્વાર્થ પ્રમાણે પ્રકૃતિ નો નાશ કરી જીવન જીવી રહ્યા છે. યાદ રાખજો જો આવું ને આવું ચાલ્યા કર્યું તો આવનારો સમય ખૂબ જ કપરો હશે કારણ કે શાસ્ત્રો તો કહ્યું છે કે પ્રકૃતિ વિના જીવન શક્ય જ નથી અત્યારે જે રીતે પ્રકૃતિનો બેફામ વિનાશ થઈ રહ્યો છે તેનું પરિણામ પણ આપણે નજરની સામે જોઈ રહ્યા છીએ ભર શિયાળે વરસાદી માવઠા થાય છે ઉનાળામાં 51 ડિગ્રી સુધી ગરમી નો પ્રકોપ પડે છે અને ચોમાસામાં અસંતુલિત વરસાદ પડી રહ્યો છે તેનું કારણ પ્રકૃતિના વિનાશ ના કારણે ખોરવાયેલ ઋતુચક્ર છે એવું નથી કે વૃક્ષોની જાળવણી કે પ્રકૃતિની જાળવણી ની ચર્ચા થોડા સમયથી જ થાય છે શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો જાણવા મળે કે આ વાત તો આદિ અનાદિકાળથી કહેવાથી આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પૂરું પાડે છે આ પવિત્ર પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયમ એવું બોલ્યા છે કે ધરતી પરનો જે મનુષ્ય પ્રકૃતિની અવગણના કરીને મારી પૂજા કરે છે તો તેને માત્ર હું ઢોંગ જ સમજુ છું ભગવાન કહે છે કે જે કોઈ પ્રકૃતિના તત્વોનું જતન નથી કરતો અને મારી પૂજા કરે છે તો એ પૂજા હું ક્યારેય સ્વીકારતો નથી એટલે તો ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો યજ્ઞ બંધ રખાવી ગોવર્ધન પર્વતની પૂજા કરવાની સૂચના આપી તેના મૂળમાં પ્રકૃતિની પ્રથમ પૂજા કરવી જોઈએ એ જ સૂચવે છે કારણ કે પર્વત કે પ્રકૃતિનો અભિન્ન અંગ છે પર્વત પર અનેક ઔષધીઓ લીલું ઘાસ અથવા તો વૃક્ષો ઉગે છે જે અંતે તો મનુષ્યને જ ઉપયોગ આવે છે એના માટે શ્રીકૃષ્ણ ભગવાન પણ પહેલા છોડની પૂજા અને પછી રણછોડની પૂજા કરવાનું સૂચવે છે પણ અત્યારે સમસ્યા એ છે કે લોકો કૃષ્ણને માને છે પણ કૃષ્ણનું માનતા નથી.
આપણા લોક સાહિત્યના શ્રેષ્ઠ કવિ પદ્મ શ્રી દુલા ભાયા કાગ તો પોતાની વાણીમાં એવું લખે છે કે પ્રકૃતિના તત્વો જેવું પરોપકારી તત્વ બીજું કોઈ નથી કારણ કે પ્રકૃતિ ક્યારેય પોતાની વસ્તુ પોતાના માટે વાપરતી નથી કવિ કાગ લખે છે

એજી ઓલ્યા ઝાડવાં પોતાના ફળ નથી ખાતા રે,
ઉપકારી એના આત્મા હો જી…
એજી એવી નદીયું પોતાના નીર નથી પીતી
ઉપકારી એનો આત્મા હો..જી…

કવિ કહે છે કે જેમ ઝાડવા પોતાના ફળ પોતે નથી ખાતા જેમ નદીઓ પોતાનું પાણી પોતે નથી પીતી જેમ પર્વતો પર નીકળતી ઔષધીઓ પોતે નથી સંગ્રહ કરતા પણ લોકોના હિત માટે એ લોકોને જ આપે છે તો તેનાથી મોટા પરોપકારી જીવ કોને ગણવા એટલા માટે શાસ્ત્રોનો સંતોનો ઋષિઓનો મહાપુરુષોનો અને પ્રકૃતિ પ્રેમીઓ નો એક જ મત છે કે બને કેટલા પ્રકૃતિના અમૂલ્ય તત્વોનું , વૃક્ષો નું જતન કરીએ રક્ષણ કરીએ અને સંરક્ષણ કરીએ જેનાથી ફાયદો આપણને જ થવાનો છે તો આજથી આપણે એવું નક્કી કરીએ કે પ્રકૃતિના તત્વોનું હંમેશા જતન કરીશું.

सम्यक दिनचर्या एवं उपयुक्त आहार को जीवनका हिस्सा बनाकर तो देखिए ! चमत्कार हो जायेगा !

August 4th, 2024

જયારે આ લેખ લખું હું ત્યારે હું મારી પત્ની સાથે વડોદરા જિલ્લા સર્વોદય મંડળ સંચાલિત નિસર્ગોપચાર કેન્દ્ર ગોત્રી વડોદરા નો એક સ્વચ્છ, સુંદર અને સુરૂચિપૂર્ણ રૂમ માં બેઠો છું. અમે બંને આ કેન્દ્ર માં ઉપચાર માટે આવ્યા છીએ અહીં આવવા માટે ઘણા સમય પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, જે અહીં ના ઇન્ડોર પેશન્ટ ની સંખ્યા પર આધારિત હોય છે નૈસર્ગીક વાતાવરણમાં જ કુદરતી ઉપચાર થઇ શકે. આ વિધાનને સાર્થક કરતું આ વિનોબા આશ્રમ વડોદરામાં હોવા છતાં પણ કુદરતી વાતાવરણમાં સ્થિત છે. કેન્દ્ર લગભગ ગોળાકાર છે અને વચ્ચે ખુબ સુંદર અને સુસજ્જ બગીચો આવેલો છે. ફરતા વિભિન્ન વૃક્ષો અને વનસ્પતિ આવેલી છે.
ત્રણ એકર વિસ્તાર માં ઘટાદાર વૃક્ષો, પક્ષીઓનો કલરવ અને સુગંધી પુષ્પ-વેલીઓથી વિભૂષિત શુદ્ધ હવા પાણીથી ભરપૂર આહલાદક અને કુદરતી વાતાવરણ ધરાવતા વિનોબા આશ્રમમાં સ્વાસ્થ્ય પ્રાપ્તિ અને નવજીવન પ્રાપ્ત કરવા માટે સતત સ્વાસ્થ્ય સાધકો અહીં આવતા રહે છે.
નિસર્ગો ઉપચાર કેન્દ્ર અને વિનોબા આશ્રમ
ભૂમિકા
આપણું શરીર આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ એમ પંચમહાભુતોનું બનેલું છે. આહાર વિહાર ની ભૂલો માનસિક તાણ , વાતાવરણનું પ્રદુષણ અને રસાયણોની ઝેરી અસર થી પંચતત્વોની વધઘટ થાય છે અને શરીરનું સ્વાસ્થ્ય કથળે છે.
પંચમહાભૂતોની મદદ થી કરાતા ઉપચારો, ઉપવાસ, રસાહાર કે ફળાહારથી જીવનશક્તિ વધતા તથા વિષદ્રવ્યો મુક્ત થતા સ્વાસ્થ્ય સાધકો રોગ મુક્ત થઇ નવજીવન પ્રાપ્ત કરે છે. સ્વાસ્થ્ય સાધકોને સ્વાસ્થ્ય લાભ કરાવવાની પ્રક્રિયામાં સહાયરૂપ થવું એ આ કેન્દ્ર નો શુભ હેતુ છે.
સંત શ્રી વિનોબા ભાવેની યાદગિરી માં વડોદરા જિલ્લા સર્વોદય મંડળ દ્વારા એ આશ્રમ ની સ્થાપના 1967 માં કરવામાં આવી.ગાંધી- વિનોબાની ભાવનાને અનુરૂપ આરોગ્ય કામ થાય તે હેતુ થી 1978 થી સાવલીના બ્રહ્મલીન સ્વામીજીની પ્રેરણાથી આ આશ્રમમાં નિસર્ગોપચાર કેન્દ્ર ચાલે છે. 1978 થી માંડીને અત્યાર સુધીના વર્ષોમાં કેન્દ્રનો ધીરે-ધીરે વિકાસ થતો રહ્યો છે. નિસર્ગોપચાર તથા વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે સમાજ સમક્ષ રજૂ થાય તથા સરળ, સુલભ તથા સસ્તી આરોગ્યદાયી પદ્ધતિઓ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો સમાજમાં પ્રચાર પ્રસાર થાય તે આ કેન્દ્રનો મૂલ્ય હેતુ રહ્યો છે.
સંસ્થાના વિવિધ વિભાગો
સ્થાન
1 – ઓફિસ – રિસેપશન, ડૉક્ટર દ્વારા તપાસ,
હિસાબી કામકાજ એડમિનિસ્ટ્રેશન
2 – જતન નીતરણ કેન્દ્ર – સજીવ ખેતપેદાશો પુસ્તકો, ગ્રામોદ્યોગી
પેદાશોનું વેચાણ
3 – ઉપચારગૃહ – ભાઈઓ – માલિશ, સ્ટીમબાથ, એનીમાં ટબ બાથ
ઉપચારગૃહ – બહેનો – , લોકલ સ્ટીમ, માટી લેપ અને વગેરે ઉપચારો
4 – ભોજનાલય – ઉષ્ણ : પાન
(દિવસ દરમિયાન) ઉકાળો / રસાહાર /
ભોજન / ફલાહાર / રસાહાર
ઉકાળો / રસાહાર
ફલાહાર / રસાહાર / ભોજન
5 – યોગાસન હોલ – સવારના યોગાસન
રોગ મુજબ વિશેષ યોગાસન
પ્રાર્થના અને વાર્તાલાપ
6 – લાઈબ્રેરી – લાઈબ્રેરી – વાંચનાલય
જુદીજુદી કસરતો.
દિનચર્યા
સમય કાર્યક્રમ
5 : 45 ઉત્થાન – પબ્લિક બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ પર ભજન
6 : 15 ઉષ્ણ : પાન / રસપાન / ઔષધીય વનસ્પતિનો કાઢો
6 : 30 થી 8.30 – યોગ
8 : 30 થી 11 : 30 – વિવિધ ઉપચાર.
11 : 30 થી 12 : 00 – મુક્ત સમય.
12 : 00 થી 12 : 30 – ભોજન (ફલાહાર)
12 : 30 થી 2 : 00 – આરામ
2 : 30 થી 6 : 00 – લેપો , સ્થાનિક વરાળ, શિરોધારા
કસરત વગેરે.
4 : 15 – ઉકાળો / ઔષદીય વનસ્પતિનો કાઢો / રસપાન
5 : 00 થી 6 : 00 – યોગ
6 : 00 થી 6 : 30 – ભોજન (ફળાહાર)
6 : 30 થી 7 : 30 – મુક્ત સમય / મુલાકાતીઓ નો સમય.
7 : 30 થી 8 : 30 – પ્રાર્થના અને વાર્તાલાપ .
9 : 30 થી 10 : 00 – મુક્ત સમય.
10 : 00 – શયન – શાંતિ

                                      કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ 
  • ટેલિફોન (0265 – 2371880)
  • પોસ્ટ
  • રેલવે ટાઈમટેબલ ટેલિફોન ડિરેક્ટરી
  • ટ્રાવેલ એજન્ટ્સ
  • ઈ – મેઈલ તથા ઈન્ટરનેટ સુવિધા
  • જતન વિતરણ કે – – અહીં સજીવ ખેતી અંગેનું સાહિત્ય, ખેત પેદાશો, સાબુ, તેલ વગેરે મળે છે.
  • મનો રંજન તથા રમતગમતના સાધનો.
  • ન્યુઝપેપર.
  • મહેમાનો – મહેમાનો માટે પણ પૂર્વસૂચના થી ફળાહાર, ભોજ્નની વ્યવસ્થા થઇ શકે છે.
  • લોન્ડરી
  • લાઈબ્રેરી.
  • વિનોબા આશ્રમ ખાતે ચાલતા કાર્યક્રમો
  • પ્રાકૃતિક ચિકિત્સા માટે ઇન્દોર સારવાર
  • પ્રાકૃતિક ચિકિત્સા માટે કન્સલ્ટેશન તથા આઉટડોર સારવાર પ્રાકૃતિક ઉપચાર
  • માલિશ, સ્ટીમબાથ, જળચિકિત્સા,માટી ચિકિત્સા, શિરોધારા, ફિજિયોથેરેપી, એક્યુપ્રેશર, એક્યુપંચર વગેરે.
  • શૈક્ષણિક કાર્યક્રમો * નિસર્ગોપચાર માટે તાલિમી કાર્યક્રમો * ગાંધી નેશનલ એકેડમી ઓફ નેચરોપથી દ્વારા ચલાવવામાં આવતો NDDV કોર્સ વગેરે.
    આ લેખ લખવાની પાછળ હેતુ આટલું જ આવા પ્રકારના ઉપચારો ઇચ્છતા મિત્રો ને થોડી જાણકારી મળી શકે અને આ અત્યંત ઉપયોગી ચિકિત્સા દ્વારા લાભાન્વિત થઇ શકે.
    અંતે અહીં લખેલા આહાર – વિહારના તમામ સૂત્રો માં થી મને જે ગમ્યું એના દ્વારા સમાપન શું ખાવું ને શું ન ખાવું? ક્યારે ખાવું ને ક્યારે ન ખાવું? કેટલું ખાવું ને કેવીરીતે ખાવું? બાબતોનું ચિંતન કરનાર ભાગ્યે જ બીમાર પડે છે.

અમારું નેટવર્ક એ અમારી નેટ વર્થ છે: બિઝનેસમેનનો પરિપ્રેક્ષ્ય

August 4th, 2024

વ્યવસાયની ગતિશીલ અને સતત વિકસતી દુનિયામાં, એક કહેવત સત્યતા ધરાવે છે: “અમારું નેટવર્ક અમારી નેટ વર્થ છે.” કોઈપણ ઉદ્યોગપતિ માટે, આ સિદ્ધાંત માત્ર આકર્ષક શબ્દસમૂહ નથી પરંતુ સતત સફળતાનો પાયાનો પથ્થર છે. આજના સ્પર્ધાત્મક બજારમાં વ્યાવસાયિક સંબંધો, જોડાણો અને નેટવર્કનું મૂલ્ય વધારે પડતું જ છે.

જોડાણોની શક્તિ
તેના મૂળમાં, નેટવર્ક એ સંબંધોનું જાળ છે જે સમય જતાં વેપારી ને સફળ બનાવે છે. આ જોડાણો ગ્રાહકો, સપ્લાયર્સ, સાથીદારો, માર્ગદર્શકો અને સ્પર્ધકો સાથે પણ હોઈ શકે છે. દરેક કનેક્શન સંભવિત સંસાધન તરીકે સેવા આપે છે, તકો, આંતરદૃષ્ટિ અને સમર્થન આપે છે. સારમાં, એક મજબૂત નેટવર્ક એ સલામતી જાળ જેવું છે જે જ્યારે તમે પડો ત્યારે તમને પકડી શકે છે અને તમારા સાહસમાં તમને આગળ ધપાવે છે.

તકો અને વૃદ્ધિ
સુસ્થાપિત નેટવર્ક નવી તકોના દરવાજા ખોલે છે. ભલે તે નવા ગ્રાહકોને શોધવાનું હોય, સંભવિત રોકાણકારોને શોધવાનું હોય અથવા નવીન પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવાનું હોય, એક મજબૂત નેટવર્ક શક્યતાઓની સોનાની ખાણ બની શકે છે. દાખલા તરીકે, વિશ્વસનીય સંપર્કમાંથી રેફરલ ઘણીવાર સૌથી આકર્ષક માર્કેટિંગ ઝુંબેશ કરતાં વધુ વજન લઈ શકે છે. તદુપરાંત, નેટવર્કનો ભાગ બનવાથી ઉદ્યોગપતિને ઉદ્યોગના વલણો, તકનીકી પ્રગતિઓ અને બજારની શિફ્ટ્સથી સચેત રહેવાની મંજૂરી મળે છે, જે સક્રિય અનુકૂલન અને વૃદ્ધિને સક્ષમ કરે છે.

ટ્રસ્ટ અને પ્રતિષ્ઠા
વ્યવસાયમાં, વિશ્વાસ અને પ્રતિષ્ઠા અમૂલ્ય છે. પરસ્પર આદર અને વિશ્વાસ પર બનેલું નેટવર્ક ઉદ્યોગપતિની પ્રતિષ્ઠાને નોંધપાત્ર રીતે વધારી શકે છે. જ્યારે તમે સતત મૂલ્ય પ્રદાન કરો છો અને તમારી ક્રિયાપ્રતિક્રિયાઓમાં અખંડિતતા જાળવશો, ત્યારે તમારું નેટવર્ક તમારા માટે ખાતરી આપશે, તમારી વિશ્વસનીયતામાં વધારો કરશે. આ વિશ્વાસ પરિબળ વાટાઘાટો, ભાગીદારી અને ક્લાયન્ટ એક્વિઝિશનમાં નિર્ણાયક તત્વ બની શકે છે.

નોલેજ શેરિંગ અને મેન્ટરશિપ
નેટવર્ક પણ જ્ઞાનનો ભંડાર છે. વ્યાવસાયિકોના વિવિધ જૂથ સાથે જોડાવાથી અનુભવ અને આંતરદૃષ્ટિની સંપત્તિ મળે છે. જ્ઞાનનું આ વિનિમય નવીન વિચારોને વેગ આપી શકે છે, પડકારોના ઉકેલો પ્રદાન કરી શકે છે અને સતત શીખવાની પ્રેરણા આપી શકે છે. વધુમાં, નેટવર્કમાં માર્ગદર્શન અવિશ્વસનીય રીતે ફાયદાકારક હોઈ શકે છે. અનુભવી ઉદ્યોગપતિઓ માર્ગદર્શન આપી શકે છે, તેમની મુસાફરી શેર કરી શકે છે અને જટિલ બિઝનેસ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવામાં મદદ કરી શકે છે.

ભાવનાત્મક અને નૈતિક સમર્થન
ઉદ્યોગપતિની સફર ઉંચી અને નીચીથી ભરપૂર હોય છે. પડકારજનક સમય દરમિયાન, સહાયક નેટવર્ક સતત રહેવા માટે જરૂરી ભાવનાત્મક અને નૈતિક સમર્થન પ્રદાન કરી શકે છે. એ જાણીને કે એવા લોકો છે કે જેઓ તમારી દ્રષ્ટિમાં વિશ્વાસ રાખે છે અને કાન આપવા અથવા મદદ કરવા માટે તૈયાર છે તે એક શક્તિશાળી પ્રેરક બની શકે છે.
વ્યૂહાત્મક ભાગીદારી
નેટવર્કમાં રચાયેલી વ્યૂહાત્મક ભાગીદારી નોંધપાત્ર બિઝનેસ વૃદ્ધિ તરફ દોરી શકે છે. પૂરક કૌશલ્યો, સંસાધનો અને માર્કેટ એક્સેસ ધરાવતા અન્ય લોકો સાથે સહયોગ કરીને, ઉદ્યોગપતિઓ તેમની પહોંચ અને ક્ષમતાઓને વિસ્તૃત કરી શકે છે. આ ભાગીદારી નવીનતા લાવી શકે છે, ખર્ચ ઘટાડી શકે છે અને સ્પર્ધાત્મક લાભમાં વધારો કરી શકે છે.

                                                              બિઝનેસમેનની નેટવર્થ તેના નેટવર્કની મજબૂતાઈ અને ગુણવત્તાથી ઊંડી અસર કરે છે. સંબંધોનું નિર્માણ અને સંવર્ધન એ પેરિફેરલ પ્રવૃત્તિ નથી પરંતુ સફળતા માટેની કેન્દ્રીય વ્યૂહરચના છે. વ્યાપારના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, જેઓ તેમના નેટવર્કમાં રોકાણ કરે છે તેઓ હંમેશા તેમની નેટવર્થમાં વળતર જોશે. આમ, દરેક ઉદ્યોગપતિએ નેટવર્કિંગને પ્રાધાન્ય આપવું જોઈએ, તેને તેમના વ્યાવસાયિક શસ્ત્રાગારમાં એક મહત્વપૂર્ણ સંપત્તિ તરીકે ઓળખવું જોઈએ.

સાણંદના રસ્તે રખડતી ગાયનો લોકોને ખુલ્લો પત્ર !

August 4th, 2024

કેમ છો ? હું …..હમણાંથી બહુ ચર્ચામાં છું. ઓળખાણ પડી ? હું સાણંદના રસ્તે રખડતી ગાય જેનો ત્રાસ હમણાંથી ખુબ વધી ગયો છે એવી ચોરે ને ચૌટે ચર્ચા છે , ઠેર -ઠેર અમારા અડિંગને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વારંવાર હું અકસ્માતનું કારણ બની રહી છું.
પરંતુ આમ મારો આપને સવાલ છે કે હું તો એક અબોલજીવ છું અને મારી સાત પેઢીમાં કે મારા કુળમાં અમારી કોઈને નડવાની પ્રકૃતિ કે પ્રવૃત્તિ નથી. હું કદી કોઈને નુકશાન કરવાનું વિચારીજ ના શકું કારણકે તે મારા સ્વભાવમાં જ નથી ,હા લોકો વર્ષોથી મારો લાભ લઇ રહ્યા છે અને એમાં મને કોઈ વાંધો પણ નથી કારણ નિર્દોષતા અને લોકકલ્યાણ એ મારી ગળથુથીમાં છે અને એટલેજ કદાચ માનવજાત છેક ભગવાન શ્રી કૃષ્ણ કે તે પહેલાના સમયથી અમને પૂજતી આવી છે.ટૂંકમાં મારો ત્રાસ કે હું કોઈને નાડું એ વાતમાં માલ નથી પરંતુ હાલ માનવ સમુદાય મને જરૂર નડી રહ્યો છે.સાણંદની વાત કરીએ તો મને કોઈ સાણંદ હાઇવે પાર બેસવાનો શોખ નથી , હાઇવે પર મને કોણ મૂકી જાય છે તેની પણ મને ખબર નથી કે હાઇવે ઉપર ન બેસાય એટલી મારી સમજ પણ નથી .પરંતુ તમારું શું ?
માણસતો એક બુદ્ધિશાળી, સમજદાર અને સમર્થ પ્રાણી છે.આટલા સમજદાર માણસોને માત્ર અમારો ત્રાસ જ દેખાય છે.હું સાણંદમાં ક્યાંથી આવી ? આવી તો હાઇવે પર ક્યાંથી આવી ? મને સાણંદમાં સલામત સ્થળે ખસેડવા શું કરવું જોઈએ ?કે પછી મને રખડતી કે હાઇવે પર મારવા છોડી દેનારા જવાદારો કોણ છે ? આજનો આ આધુનિક માનવી મારા ખોરાકની ચિંતા કરવાની વાત તો એકબાજુ પરંતુ સાણંદ હાઇવે પર અમારા ગૌ વંશના છેલ્લા એક માસ દરમિયાન સાણંદ થી અમદાવાદ અને વિરમગામ તરફ જતા હાઇવે પર ગાયોના નાના-મોટા ૨૦ જેટલા અકસ્માતો થયા.આ અકસ્માતોમાં અજાણ્યા વાહનોની અડફેટે આવી ૧૨ ગાયોના મૃત્યુ અને ૧૬ જેટલી ગાયોને નાની-મોટી ઈજા થઇ છે તે છતાં સાણંદના લોકોનું પેટનું પાણી પણ હાલતું નથી.હવે તમેજ નક્કી કરો આમાં મારો ત્રાસ છે કે માણસોનો ? અને આ માણસો કાંઈજ કરતા નથી , મારા પ્રત્યે કોઈનીયે સંવેદના જાગતી નથી .? હું જાતે તો આંદોલન કે ધરણા તો શું મારી વેદનાની રજૂઆત પણ કરી શકવા સક્ષમ નથી.તો મારા વતી કોણ બોલશે ? હું કોની આશા રાખું ? આ પ્રશ્નના જવાબમાં માત્ર આપણી સંવેદના નહિ એક્શનની આશા સાથે ………………સાણંદ હાઇવે પર રખડતી ગાય

સફળ માર્કેટિંગ વ્યૂહરચનાઓ દ્વારા માર્કેટ કિંગ બનવું

July 28th, 2024

આજના સ્પર્ધાત્મક બિઝનેસ વાતાવરણમાં, માર્કેટ કિંગ બનવા માટે ઉત્તમ ઉત્પાદન અથવા સેવા ની સાથે તે એક વ્યાપક અને સારી રીતે અમલી માર્કેટિંગ વ્યૂહરચના માંગે છે. નવા વ્યવસાયથી બજારની ટોચ સુધીની સફરમાં ઘણા નિર્ણાયક પગલાંઓ સામેલ છે જે ખાતરી કરે છે કે બ્રાન્ડ માત્ર અલગ જ નથી પરંતુ તેનું વર્ચસ્વ જાળવી રાખે છે. અસરકારક માર્કેટિંગ દ્વારા બજારની સર્વોપરિતા કેવી રીતે હાંસલ કરવી તે અહીં છે.

1. તમારા બજારને સમજો:

કોઈપણ સફળ માર્કેટિંગ વ્યૂહરચનાનો પાયો બજારની ઊંડી સમજ છે. આમાં સંભવિત ગ્રાહકોને ઓળખવા, તેમની જરૂરિયાતો, પસંદગીઓ અને વર્તણૂકોને સમજવા અને સ્પર્ધાનું વિશ્લેષણ કરવા માટે સંપૂર્ણ બજાર સંશોધનનો સમાવેશ થાય છે. આ ડેટાને એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને, વ્યવસાયો જાણકાર નિર્ણયો લઈ શકે છે અને તેમના લક્ષ્ય પ્રેક્ષકોની ચોક્કસ માંગને પહોંચી વળવા માટે તેમના માર્કેટિંગ પ્રયત્નોને અનુરૂપ બનાવી શકે છે.

2. એક અનન્ય મૂલ્ય દરખાસ્ત વિકસાવો:

ભીડવાળા બજારમાં અલગ રહેવા માટે, વ્યવસાયે કંઈક અનોખું પ્રદાન કરવું જોઈએ જે તેને સ્પર્ધાથી અલગ કરે. આ યુનિક વેલ્યુ પ્રોપોઝિશન (UVP) એ સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે ગ્રાહકોએ શા માટે તમારું ઉત્પાદન અથવા સેવા અન્ય લોકો કરતાં પસંદ કરવી જોઈએ. તે શ્રેષ્ઠ ગુણવત્તા, નવીન સુવિધાઓ, અસાધારણ ગ્રાહક સેવા અથવા સ્પર્ધાત્મક કિંમતો પર આધારિત હોઈ શકે છે. મજબૂત અને અલગ બ્રાન્ડ ઓળખ બનાવવા માટે યુવીપીનો તમામ માર્કેટિંગ ચેનલો પર સતત સંચાર થવો જોઈએ.

3. એક મજબૂત બ્રાન્ડ બનાવો:

માર્કેટ કિંગ બનવા માટે મજબૂત બ્રાન્ડ એ મુખ્ય સંપત્તિ છે. બ્રાન્ડિંગ માત્ર લોગો અથવા ટેગલાઇનથી આગળ વધે છે; તે વ્યવસાયની એકંદર ધારણા અને પ્રતિષ્ઠાને સમાવે છે. આમાં વિઝ્યુઅલ એલિમેન્ટ્સ, મેસેજિંગ અને એકંદર ગ્રાહક અનુભવનો સમાવેશ થાય છે. બ્રાન્ડિંગમાં સુસંગતતા નિર્ણાયક છે, કારણ કે તે સમય જતાં વિશ્વાસ અને ઓળખ બનાવે છે. એક સુસ્થાપિત બ્રાન્ડ વફાદારી અને પ્રીમિયમ કિંમત નિર્ધારણને આદેશ આપી શકે છે, તેને સ્પર્ધકો પર એક ધાર આપી શકે છે.

4. ડિજિટલ માર્કેટિંગનો લાભ મેળવો:

ડિજિટલ યુગમાં, વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેવો જરૂરી છે. ડિજિટલ માર્કેટિંગમાં સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશન (SEO), સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઇમેઇલ માર્કેટિંગ, કન્ટેન્ટ માર્કેટિંગ અને પે-પર-ક્લિક (PPC) જાહેરાત સહિતની વિવિધ યુક્તિઓનો સમાવેશ થાય છે. આમાંની દરેક ચેનલ ગ્રાહકો સાથે જોડાવા, બ્રાન્ડ જાગરૂકતા વધારવા અને વેચાણ વધારવા માટે અનન્ય તકો પ્રદાન કરે છે. અસરકારક ડિજિટલ માર્કેટિંગને મહત્તમ અસર અને રોકાણ પર વળતર સુનિશ્ચિત કરવા માટે સતત દેખરેખ અને ઑપ્ટિમાઇઝેશનની જરૂર છે.

 
5. ગ્રાહક જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરો:
 
લાંબા ગાળાના સંબંધો બાંધવા અને વફાદારી વધારવા માટે ગ્રાહકો સાથે જોડાવું મહત્વપૂર્ણ છે. આમાં સોશિયલ મીડિયા દ્વારા સક્રિય ક્રિયાપ્રતિક્રિયા, ગ્રાહકની પૂછપરછનો તરત જવાબ આપવો અને ઉત્પાદનો અને સેવાઓને સુધારવા માટે પ્રતિસાદ મેળવવાનો સમાવેશ થાય છે. વૈયક્તિકરણ ગ્રાહક જોડાણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને, વ્યવસાયો તેમના માર્કેટિંગ સંદેશાઓ અને ઑફર્સને વ્યક્તિગત પસંદગીઓ અનુસાર તૈયાર કરી શકે છે, ગ્રાહક અનુભવને વધારીને અને રીટેન્શન રેટમાં વધારો કરી શકે છે.
 
6. નવીનતા અને અનુકૂલન:
 
વ્યવસાયનું લેન્ડસ્કેપ સતત વિકસિત થઈ રહ્યું છે, અને આગળ રહેવા માટે સતત નવીનતા અને અનુકૂલનક્ષમતા જરૂરી છે. આનો અર્થ એ છે કે બજારના વલણોનું નિયમિત મૂલ્યાંકન કરવું, નવી તકનીકોને સ્વીકારવી અને પરિવર્તન માટે ખુલ્લા રહેવું. જે વ્યવસાયો નવીનતા લાવે છે તેઓ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને પસંદગીઓને પહોંચી વળવા વધુ સારી રીતે સજ્જ છે, તેમને સ્પર્ધાત્મક લાભ આપે છે. વધુમાં, અનુકૂલનક્ષમ હોવાને કારણે વ્યવસાયોને બજારના બદલાવના પ્રતિભાવમાં ઝડપથી આગળ વધવા દે છે, સતત વૃદ્ધિ અને સુસંગતતા સુનિશ્ચિત કરે છે.
 
7. પ્રદર્શનને માપો અને વિશ્લેષણ કરો:
 
માર્કેટ લીડરશીપ હાંસલ કરવા અને જાળવવા માટે, માર્કેટિંગ વ્યૂહરચનાઓના પ્રદર્શનને માપવા અને તેનું વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે. આમાં સ્પષ્ટ ઉદ્દેશો નક્કી કરવા, કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ (KPIs)ને ટ્રેક કરવા અને ઝુંબેશની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. શું કામ કરે છે અને શું નથી તે ઓળખીને, વ્યવસાયો ડેટા આધારિત નિર્ણયો લઈ શકે છે અને વધુ સારા પરિણામો માટે તેમના માર્કેટિંગ પ્રયત્નોને સતત સુધારી શકે છે.
 
 સફળ માર્કેટિંગ વ્યૂહરચનાઓ દ્વારા બજારના રાજા બનવા માટે બહુપક્ષીય અભિગમની જરૂર છે. બજારને સમજીને, એક અનન્ય મૂલ્ય દરખાસ્ત વિકસાવવાથી, એક મજબૂત બ્રાન્ડનું નિર્માણ કરીને, ડિજિટલ માર્કેટિંગનો લાભ ઉઠાવીને, ગ્રાહકની સંલગ્નતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, નવીનતા અને અનુકૂલન અને પ્રદર્શનને માપવાથી, વ્યવસાયો બજારનું પ્રભુત્વ હાંસલ કરી શકે છે અને ટકાવી શકે છે. ટોચની યાત્રા પડકારજનક છે, પરંતુ યોગ્ય વ્યૂહરચના અને અવિરત અમલ સાથે, તે પહોંચની અંદર છે.