રાજકોટમાં બીજા દિવસે પણ આંગણવાડી કર્મચારીઓનાં ધરણાં
રાજકોટમાં ગઈકાલથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણાં અને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે આ વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું હતું. કર્મચારીઓએ માનદ નહી યોગ્ય પગાર ધોરણની માંગણી કરી હતી. ‘અમારી માંગણી પુરી કરો નહી તો ખુરસી ખાલી કરોનાં નારા લગાવ્યા હતા.પગાર વધારા સહિતની માગ સંતોષવા આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરાયો હતો. આગામી દિવસોમાં MP અને MLAને રજૂઆત કરવામાં આવનાર છે.
