“વ્યાપારી ની દ્રષ્ટિએ: વ્યાપાર
આ શ્રેણી માં આપણે વ્યાપારી દરેક પરિસ્થિતી માં કેવી રીતે વિચારે છે,કોઈ પણ પરિસ્થિતી નો કઈ રીતે સામનો કરે છે,વ્યાપાર માં હરીફાઈ માં કઈ વ્યૂહરચના બનાવી ને ટકી રહે છે અને બીજું પણ ઘણું જાણીશું જે વ્યાપાર માટે અને સફળતા માટે ઉપયોગી બની શકશે.
જો આપણે વ્યાપાર કરીશું તો દરેક પરિસ્થિતી માટે તૈયાર રેહવું જ પડશે એમાં પાની પાછળ નહીં કરી શકીએ. વ્યાપાર છે તો સારી ખરાબ બધી પરિસ્થિતી જોવા મળશે.બધી પરિસ્થિતી ને જોવાની રીત બધાની અલગ હોય છે.અમુક લોકો ને બધી વાત માં નકારાત્મક વાત જ દેખાય અને અમુક લોકો ને બધી વાત માં હકારાત્મક વાત દેખાય.જેમ કે એક ગ્લાસ છે જે અડધો ભરેલો છે અને અડધો ખાલી છે તો આ એક જ વાત માટે બધા ની વિચારસરણી અલગ અલગ હોવાની.એ જ રીતે વ્યાપારી ની વિચારસરણી સામાન્ય લોકો કરતાં થોડી અલગ જ રેહવાની.
વ્યાપારી ની દ્રષ્ટિ એ બધી પરિસ્થિતી
વ્યાપારી બધી પરિસ્થિતી ને એક તક તરીકે જોવે છે. બધા થી અલગ કઈ કરવું છે તો અલગ અલગ વિઘ્ન તો આવવાના જ એના માટે તૈયાર રેહવું જ પડશે નાસીપાસ થવા થી કઈ જ નહીં મળે. જો તમને એક સફળ બિઝનેસમેન થવું છે તો તમારી આડે આવતાં દરેક પરિબળોને ફરજિયાતપણે એક તક સ્વરૂપે જોવાં પડશે. દરેક બાધાને વિકસવાની તક સમજીને એને સ્વીકારવી પડશે અને મન થી તૈયાર રેહવું પડશે કે કા તો આ બાધા નબળાઈ દૂ૨ ક૨શે અને નહિતર તો ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ પેદા નહીં થાય એ શીખવું પડશે.
જો હું તમને અહી અમુક પરિસ્થિતી આપું છું કે જો એવી પરિસ્થિતી તમારા સામે આવે તો તમે શું કરશો.
પહેલી પરિસ્થિતી એમ’ છે કે તમે કોઈ હોટલ માં જમવા ગયા કે રેહવા માટે ગયા અને તમને ત્યાં સારી સર્વિસ ના મળી તો તમે બીજા ને પરિસ્થિતી શું રિવ્યૂ આપશો ટીકા જ કરશો ને બસ ટીકા કરી ને વાત પૂરી કરશો.
હું એમ નથી કેતો કે પરિસ્થિતી ટીકા ના કરો જે સાચી વાત છે એ કેવી જ પડે.પણ હું એવી વ્યક્તિ ની વાત કરવા માંગુ છું કે જેમને આવો અનુભવ થયો એમણે પણ પરિસ્થિતી ટીકા કરી જ હશે. પણ એમણે આવી પરિસ્થિતી પર વિજય પણ મેળવ્યો.હા તે વ્યક્તિ છે રિતેશ અગ્રવાલ જે oyo ના શોધક છે.
બીજી પરિસ્થિતી એમ’ છે કે તમારે કોઈ કૂરિયર એક દિવસ માં મળી જાય તેમ મોકલવું હોય તો કોઈ કૂરિયર કંપની તમારે પાસે નોર્મલ ચાર્જ કરતાં વધુ માંગે તો તમે શું કરશો તમે ત્યારે તો પૈસા આપી દેશો પણ પછી ટીકા કરશો કે આટલા બધા રૂપિયા થોડી હોય.આવો જ અનુભવ એક વ્યક્તિ ને થયો હતો જેનું નામ છે તિલક મેહતા જે papers and parcels ના શોધક છે.
આ બે પરિસ્થિતી વિષે કેહવાનો હેતુ એટલો જ કે જે કઈક અલગ કરવા માંગતા હોય તે બધી પરિસ્થિતી ને અલગ રીતે જ જોવે છે.વ્યાપારિક દ્રષ્ટિ સામાન્ય લોકો કરતાં અલગ જ હોય છે.
