દુઃખથી ભાગી છૂટવું ?
જે. કૃષ્ણ મૂર્તિ

આપણા માંથી મોટા ભાગના લોકો વિવિધ પ્રકારના સંબંધોમાં દુઃખ ભોગવે છે. કોઈના મુત્યુમાં પોતાની ઈચ્છઓ પુરી ન કરી શકવા માં અને કાંઈન બની શક્ય હોવાની હતાશામાં સરી પડવું, અથવા કાંઈક મેળવવાનો પ્રયત્ન કરવામાં , કાંઈક બનવામાં જયારે સરેઆમ નિષ્ફ્ળતાનો સામનો કરવો પડે છે. ત્યારે દુઃખ બોગવે છે. અને દુઃખની સમસ્યાની બીજી બાજુ શારીરિક બાજુ પણ છે. માંદગી, અંધત્વ, અસમર્થતા, લકવો વગેરે. આ દુઃખ જેવી કહેવાતી અસાધારણ બાબત સર્વત્ર છે. એક ખૂણામાં મુત્યુ પ્રતીક્ષા કરે છે. અને આપણે નથી જાણતા કે દુઃખનો સામનો કેવી રીતે કરવો, આથી કાંતો આપણે તેની પૂજા કરીએ છીએ અથવા તેને તર્કસંગત કરીએ છીએ, અથવા તેના થી ભાગી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ ખ્રિસ્તી ચર્ચ માં જાઓ, તો ત્યાં દુઃખને પૂજવામાં આવે છે ; તેને કશુંક અસાધારણ પવિત્ર બનાવવામાં આવે છે. અને એમ કહેવામાં આવે છે કે માત્ર દુઃખથી જ, ખીલે જડેલા ( ક્રોસ ઉપર લટકાવેલા ) ખ્રિસ્ત દ્વારા જ તમે ઈશ્વ પામી શકો. પૂર્વના લોકો પાસે દુઃખથી ભાગી છૂટવાનું પોતાનું અલગ માળખું છે, કે માર્ગો છે. આ અદભુત એવા દુઃખથી મુક્ત એવા ઘણા જૂજ લોકો પૂર્વ કે પશ્ચિમ માં હશે.
તમને જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે. તેને કોઈ ભાવવિભોર કે સંવેદનશીલ થયા વગર માત્ર સાંભળવાની પ્રક્રિયામાંજ તમે ખરેખર દુઃખને સમજી શકો અને તેનાથી સંપૂર્ણ પણે મુક્ત થઇ શકોતો એ અસાધારણ બાબત કહેવાય. કારણકે ત્યારે ત્યાં પોતાની જાતને છેતરવાપણું નથી હોતું, ભ્રમ નથી હોતા, ચિંતા, ઉપાધિ નથી હોતા ભય નથી હોતો અને મગજ સ્પષ્ટ પણે , તીક્ષ્ણપણે, તાર્કિક પણે કાર્ય કરી શકે છે. અને ત્યારે કદાચ, આપણે પ્રેમ શું છે તે જાણી શકીએ.
દુઃખની ગતિને સમજો
દુઃખ શું છે ? તેનો અર્થ શો ? જેને દુઃખ ભોગવવું કહેવામાં આવે છે તે શું છે ? દુઃખ શા માટે છે એ નહીં, દુઃખી થવાનું કારણ શું છે એ નહીં, પરંતુ ખરેખરમાં શું થાય છે ? મને ખબર નથી કે તમને તેની વચ્ચે કોઈ તફાવત લાગે છે કે નહીં, જયારે હું દુઃખ થી સહજપણે સભાન હોઉં છું, મારા થી અલગ અંશ તરીકે નહીં, કોઈ નિરીક્ષક દુઃખને જોઈ રહ્યો હોય તે રીતે નહીં, દુઃખ મારો જ અંશ છે, એટલે મારુ સમગ્ર અસ્તિત્વ જ દુઃખ બોગવે છે. ત્યારે હું તેની ગતિને સમજી શકું , તે મને ક્યાં લઇ જાય છે તે હું જોઈ શકું . ચોક્કસ પણે જો હું તેમ કરું તો તે મારી સામે ઉઘડે છે. ત્યારે હું જોઉં છું કે હું જેને પ્રેમ કરું છું તે વ્યક્તિ પર નહીં પણ મેં ‘ મારા ‘ પર ભાર મુક્યો છે. તેને તો કેવળ મને મારી આસ પાસની આપત્તિમાંથી ,મારી એકલતા માંથી મારી કમનસીબી માંથી ઉગારવા માટે રક્ષણ પૂરું પાડવાનું કર્યું છે. ‘હું’ કાંઈ નથી પરંતુ હું આશા રાખું છું કે ‘તે’ ‘એ’ બની શકશે. તે વ્યક્તિ જતી રહી છે મને છોડી દેવામાં આવ્યો છે. હું એકલો છું. તેમાં મુદ્દો એ નથી કે તે વ્યક્તિ જતી રહી છે. પરંતુ મુદ્દો એ છે કે મને ત્યાગી દેવામાં આવ્યો છે. હું એકલો છું.
છટકી જવામાં મને મદદ કરનારા અસંખ્ય લોકો છે, હજારો તથાકથિત ધાર્મિક લોકો છે જે લોકો પોતપોતાની માન્યતા નો અને માની લીધેલા સિદ્ધાંતો, આશાનો અને સ્વપનાઓ ધરાવતા હોય છે ‘ તે તમારું કર્મ છે, તે ઈશ્વરની મરજી છે ‘ તે તમે જાણો છો , આ બધા મને બહાર નીકળવાનો ઉપાય દર્શાવે છે.
સ્વયં સ્કુર્ત સમજણ
આપણે ક્યારેય એમ નથી કહેતાકે; ‘ ચાલ આજે મને એ જોવા દો કે જે સહન કરે છે એ શું છે ? તમે પરાણે કે શિસ્ત દ્રારા એ જોઈ ન શકો. તમારે રસ પૂર્વક જોવું પડે , તેને આપોઆપ આવતી સ્વાભાવિક સમજણ થી જોવું પડે. ત્યારે તમને જણાશેકે જેને અપને દુઃખ અને પીડા ભોગવવા કહીએ એ છીએ, જે બાબતને આપણે ટાળી એ છીએ, એશિસ્ત, એ બધુજ જતું રહ્યું છે. જ્યાં સુધી મારી બહારની વસ્તુ સાથે મારે કોઈ સબંધ ન હોય તો કોઈ સમસ્યા નથી; પરંતુ જે ક્ષણે હું મારી બહારની વસ્તુ સાથે સબંધ સ્થપિત કરું છું ત્યારે સમસ્યાઓ સર્જાય છે. જ્યાં સુધી હું દુઃખ ને મારાથી બહારની કોઈ વસ્તુ સમજુ ત્યાં સુધી હું દુઃખ ભોગવું છું, કારણકે મેં મારો ભાઈ ગુમાવ્યો છે, કારણકે મારી પાસે પૈસા નથી, આ કે તે કારણે હું તેની સાથે સબંધ જોડું છું અને એ સબંધ કાલ્પનિક છે. પરંતુ જો હું જ તે ચીજ છું. જો હું એ હકીકત સમજુંતો આખીયે બાબતનું પરિવર્તન થઇ જાય છે. ત્યારે ત્યાં પૂરેપૂરું ધ્યાન આપવાનું બને છે, સુગ્રથિત અવધાન દાખવવામાં આવે છે. અને જેના પર ધ્યાન આપવામાં આવે છે અને તેથી ત્યાં ભય રહેતો નથી, તેથી દુઃખ શબ્દનું અસ્તિત્વ જ નથી રહેતું.
દુઃખનું કેન્દ્ર
જયારે તમે સુંદર પર્વત, સુંદર સૂર્યાસ્ત, સમ્મોહક સ્મિત, સંમોહક ચહેરો, ચકિત કરી દે તેવી કોઈ હકીકત જુઓ ત્યારે તમે શાંત થઇ જાઓ છો. ત્યારે તમે સમગ્ર વિશ્વને બાથમાં લેવા જેવું લાગે છે. પરંતુ એતો તમારા મનમાં બહારથી કાંઈક આવે છે, પરંતુ હું જે મન ચકિત નથી થતું પરંતુ જે જોવા ઇચ્છેછે , નિરીક્ષણ કરવા ઈચ્છે છે. ત્યારે શું તમે પૂર્વ સંસ્કારોના બધા તરંગો વગર નિરીક્ષણ કરી શકો ? દુઃખમાં ડૂબેલી વ્યક્તિને હું શબ્દો થી સમજાવું છું કે દુઃખ અનિવાર્ય છે. દુઃખ ઇચ્છાની અપૂર્તિનું કારણ છે. જયારે બધાજ ખુલાસા સંપૂર્ણ પણે અટકી જાય ત્યારે જ તમે જોઈ શકો એનો અર્થ એ છેકે તમે ત્યારે કોઈ કેન્દ્ર થી નથી જોઈ રહ્યા જયારે તમે કોઈ કેન્દ્રથી જુઓ છો ત્યારે જોવાની તમારી ક્ષમતા કુંઠિત, માર્યાદિત થઇ જાય છે. આ બાબત ગંભીર રીતે સમજી લેવાની જરૂર છે.
દુઃખ સાથે ગાઢ સબંધ બાંધો
દુઃખને સમજવા માટે તમારે દુઃખને પ્રેમ કરવો જોઈએ એટલે કે તમારે તેની સાથે ગાઢ સબંધ બાંધવો જોઈએ . જો તમારે કોઈ બાબતને સમજવાની હોય તો તમારો પાડોસી, તમારી પત્ની, અથવા કોઈ પણ સંબંધને સમજવો હોય તો તમારે તેની સાથે ઘનિષ્ટ સબંધ બાંધવો જોઈએ. તમારે તેની નજીક આવવું જ જોઈએ. તેજ રીતે હું દુઃખને સમજવા માંગતો હોઉં તો માટે તેને પ્રેમ કરવો જ જોઈએ. હું તેમ નથી કરી શકતો કારણકે હું સાન્ત્વનાકે આશ્વાસન દ્વારા, ખુલાસા કે સિદ્ધાંતો દ્વારા , આશા દ્વારા મુલતવી રાખીને ભવિષ્ય ઉપર ઠેલી ને તેમ કરવાથી દૂર રહું . આ બધીજ શાબ્દિક આડંબર ની પ્રક્રિયા છે. આમ શબ્દો મને દુઃખના સીધા કે ગાઢ સંપર્કમાં આવતા અટકાવે છે જયારે હું તે વાત સમજુ ત્યારે જ માત્ર હું દુઃખ ના ગાઢ સંપર્કમાં રહુ છું.
The book of life ( જીવનનું પુસ્તક ) માંથી કેટલાક અંશો સાભાર.

Social