સાણંદમાં રામનવમીની ભવ્ય ઉજવણી થશે
જલારામ મંદિર સાણંદ ખાતે શ્રી ફુલેશ્વર મહાદેવ મંડળ ધાંગધ્રા દ્વારા શ્રી રામાયણજીના પાઠ ચાલે છે. જેનો વિરામ તા.17-4ને બુધવારના રોજ સવારે 11:30 કલાકે થશે. તેમજ રામનવમીના પાવન પર્વે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક સવારે 9 કલાકે થશે. સવારે 11:30થી 12:30ના સમય દરમિયાન ચિત્રકૂટ ધામ ખાતે યોજાનાર રામકથામાં આવતા પ્રસંગોની ઉછામણીનો કાર્યક્રમ રાખેલ છે. બપોરે 12 કલાકે ભગવાન શ્રી રામલલ્લાના જન્મનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવશે.સાથે સાથે સાણંદ દરબારીગેટ પાસે આવેલ રામજી મંદિરેથી પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સવારે ૯ કલાકે ધામધૂમથી નીકળશે જેમાં ધર્મપ્રેમી લોકોને જોડાવા જણાવાયું છે
.

હોય રંગ ના ટાણાં રે….
કામ કરે એની કોઠીયે કોઈ દિ
ખૂટે નહીં દાણા રે……
