ગોરજ ગામે અજાણ્યા શખ્સોએ આંગણવાડીના બંધ રૂમમાં પથ્થર નાખી નુકશાન કરતા લોકોમાં રોષ

સાણંદ ના ગોરજ ગામે પંચાયતની બિલ્ડીંગ પાસે આવેલ આંગણવાડીમાં રાત્રે અજાણ્યા શખ્સોએ રૂમની બારીમાં રૂમમાં છુટા ઈટોના ઘા કરતા ખુરશી તૂટી ગઈ હતી અને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે ગામના સરપંચને જાણ કરતા તાત્કાલિક સરપંચ સહીત ગામ પંચાયતના સદસ્ય અગ્રણીઓ દોડી આવ્યા હતા. સમગ્ર મામલે ગોરજ ગામના સરપંચના પતિ પ્રભાતજી ઠાકોરએ સાણંદ પોલીસમાં લેખિતમાં રજુવાત કરી હતી.

Social