સાણંદના વીરપુરા પાટિયા નજીક હાઇવે પર કારની ટક્કરે રીક્ષા પલ્ટી મારતા 1ઈસમનું મોત

સરખેજથી રિક્ષામાં બેસી વઢવાણ માતાજીના મંદિરે દર્શન કરી પરત વિરમગામ સાણંદ હાઇવે પર જતાં હતા તે સમયે વીરપુરા પાટિયા નજીક હાઇવે પર કોઈ અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી મારતા રીક્ષા માં સવાર એકને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મોત થયું હતું.

  અમદાવાદના ફતેવાડી પાસે રહેતા પ્યારઅલી અજીજભાઈ ભીમાણી, હનીફભાઈ અજીજભાઇ ભીમાણી, તેઓની બહેન જાહેરાબેન અલ્તાફ હીમાણી અને સંજયભાઈ અમીરભાઈ ચંદ્રાણી (રીક્ષા ચાલક) રીક્ષામાં વઢવાણ ખાતે માતાજીના દર્શન કરવા ગયેલ હતા અને ત્યાંથી પરત સરખેજ જવા નીકળેલ હતા. ત્યારે સાણંદ હાઇવે રોડ ઉપ૨ વીરાપુરા ગામના પાટીયાથી નજીક એક ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે હંકારી રીક્ષાની જમણી બાજુથી સાઇડ લેવા જતા રીક્ષાને ટક્કર મારતા  રીક્ષા પલટી મારી જતાં  પ્યારઅલી, હનીફભાઇ તથા જાહેરાબેનને શરીરે ઇજાઓ થતાં  સારવાર માટે ખસેડયા હતા ત્યાંથી વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં હનીફભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સાણંદ GIDC પોલીસમાં નાસી ગયેલ કોઈ અજાણ્યા કાર ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો હતો.
Social