સાણંદના માધવનગર નજીક છાપરામાં આગ ભભૂકી, 6 છાપરા બળીને ખાખ

           સાણંદના માધવનગર પાછળ આવેલ બાયપાસ નજીક આવેલ છાપરામાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આગની ઘટના બનતા માધવનગરથી લોકો દોડી આવ્યા હતા અને આગની જાણ ફાયર વિભાગને કરાઇ હતી. 
       ફાયર ટિમ આવે તે પહેલા સ્થાનિકોએ ડોલ,જગ વડે પાણીની સગવડ કરી સ્વયમ આગ પર પાણીનો છંટકાવ કર્યો હતો પણ આગ બેકાબૂ થતાં અન્ય છાપરામાં પણ આગ પ્રસરતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. અને સાણંદ જીઆઈડીસી ફાયર વિભાગની ટિમ સ્થળ દોડી આવી આગને કાબૂમાં લીધી હતી. બનાવમાં 6 છાપરા બળીને ખાખ થયા જ્યારે અન્ય છાપરામાંથી લોકોએ પશુ તેમજ માલ સમાનને બચાવી લીધો હતો. કોઈને ઇજા ન થતાં રહીસોએ રાહતનો અનુભવી હતી. સમગ્ર મામલે સાણંદ પોલીસે તપાસ હાથ ધરી છે.
Social