અમદાવાદમાં સગીરે ટુવ્હિલર પર જઈ રહેલા દંપતિ અને તેના બાળકોને ટક્કર મારી : પિતા સામે ફરિયાદ

વસ્ત્રાલમાં રહેતા 42 વર્ષીય નિકેત ભાવસાર ગત 18 તારીખે તેમની પત્ની અને બે દિકરા સાથે ટુવ્હિલર લઈને કામ અર્થે સત્યનારાયણ હિલ્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલા બાઈક ચાલકે ટુવ્હિલરને ટક્કર મારી હતી. જેથી ચારેય જમીને પટકાઈ પડતા 12 અને 3 વર્ષના દિકરાને ઈજાઓ પહોંચી હતી. જે મામલે નિકેતભાઈએ ફરાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે બાઈક ના નંબરથી તપાસ કરીને બાઈકના માલિક ભરતભઈ પંચાલ (ઉ.વ.47) ના વસ્ત્રાલ ઉત્સવસીટી ખાતેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જઈને ભરતભાઈની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, 18 તારીખે તેમનો 16 વર્ષનો દિકરો બાઈક લઈને ઘરેથી કોઈને કીધા વગર તેના બે મિત્રોને બાઈક પર બેસાડીને નિકળી ગયો હતો. ત્યાર બાદ તેણે સત્યનારાયણ હિલ્સ પાસે અકસ્માત કર્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી દિકરો સગીર હોવા છતા તેને બાઈક આપ્યુ હોવાથી આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરના પિતા ભરતભાઈ પંચાલ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

Social