ગોધાવી સુરજબા સમાજવાડી લોકાર્પણ સમારોહમાં શંકરસિંહ બાપુની ઉપસ્થિતિ — ગોધાવીથી રાજદીપસિંહ વાઘેલા લાઈવ :

રવિવારે સાંજે સંત, સુરા અને દાતારો ની ભુમી એટલે કે વિરભૂમિ ગોધાવી નાં આંગણે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . ઐતિહાસિક ધરોહર અને સમાજના શુભ કે અનિવાર્ય પ્રસંગો માટે ગોધાવી ગામે સમાજવાડી બનાવવામાં આવી છે અને તેની પાછળ જે પણ પરિવારો એ યોગદાન અને સહકાર આપ્યો છે તેવા દાતા શ્રેષ્ઠીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ રાખેલ યોજાયો હતો . તદુપરાંત ગોધાવી ગામના તેમજ મૂળ ગોધાવીના પરંતુ ગામથી બહાર વસતા પરિવારો એકમંચ પર એકઠા થઈ ને એકતાનું એક ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું હતું. હાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ક્ષત્રિય સમાજના ઘરેણાં સમાન શંકરસિંહ વાઘેલાએ આ સમારોહમાં મુખ્ય મહેમાનનું પદ શોભાવ્યું છે.સાથે સાથે વંદનીય સદગુરુ પૂજ્ય આનંદનાથજી બાપુના આશીર્વાદ સાથે શેઠ વીડી શાળા ગોધાવી ના ટ્રસ્ટી રાજેન્દ્રભાઇ શેઠ સહીત ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મંચ પર બિરાજમાન છે ત્યારે કાર્યક્રમની સુંદર શરૂઆત થઇ છે .

Social