મધુબન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ભીષણ આગ : ઓફિસના કાચ તોડી 45 લોકોનું રેસ્ક્યૂ કરાયું

         એલિસબ્રિજ વિસ્તારમાં માદલપુર ગરનાળા પાસે આવેલા મધુબન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. એસીમાં આગ લાગવાના કારણે ધીમે-ધીમે ધુમાડો વધ્યો હતો. જે સમગ્ર કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયો હતો. આગ લાગવાની જાણ થતા તાત્કાલિક કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં રહેલા લોકો ધાબા ઉપર જવા માટે પહોંચ્યા હતા, પરંતુ ધાબાનો દરવાજો બંધ હોવાથી તેઓ નીચે નવમા માળે આવેલી એક ઓફિસમાં રોકાઈ ગયા હતા.
          ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓફિસની બારીઓના કાચ તોડી અને જે ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાયેલો હતો, તેને દૂર કરવાની શરૂઆત કરી હતી. પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો બીજી તરફ ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા લોકોનું ધીમે-ધીમે રેસ્ક્યૂ કરવાનું શરૂઆત કરવામાં આવી હતી. કુલ 45 લોકોને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે, મધુબન કોમ્પ્લેક્સમાં ચોથા માળે એસીના ડોકમાં પાછળના ભાગે આગ લાગી હતી. આશરે 10 જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી.
  કોમ્પ્લેક્સમાં ઓફિસો આવેલી છે અને જેમાં લોકો કામ કરતા હતા. કુલ 45 જેટલા લોકોને અમે રેસ્ક્યુ કર્યા છે. બ્રિથિગ સિસ્ટમનો ઉપયોગ કરીને લોકોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
Social