નિકોલમાં સાઈટ પર ટાઇલ્સનુ કામ કરતા મજુરનું મોત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એટલાન્ટીસ સાઇટ પર એક મજુરના મોતનો મામલો વિવાદીત બન્યો છેે. ટાઇલ્સનુ કામ કરતા મુળ રાજસ્થાનના મજુર લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર જ્યારે સાઇટ પર ડી-બ્લોકમાં 11 માં માળે કામ કરી રહ્યો હતો ત્યારે ઉપથી નિચે પટકાતા તેનું મોત થયું. ઉલ્લેખનીય છે કે જ્યારે મજુર પટકોયો ત્યારે બિલ્ડીંગ પર મજુર માટે કોઇ પણ પ્રકારની સુરક્ષા નેટ કે અન્ય વ્યવસ્થા રાખવામાં ન આવી હોવાનીવાત વહેતી થઇ છે.
જે એટલાન્ટીસ સાઇટ બનાવી રેહલા ખોડીયાર બિલ્ડરની સિધે-સિધી બેદરકારી સાબીત કરે તેવી ચર્ચાછે.. ઘટનાની જાણ થતા આસપાસના રહીસો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.. અને મજુરના મોત માટે જવાબદાર ખોડીયાર બિલ્ડર્સ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે સવાલએ થાય છે કે ખોડીયાર બિલ્ડર્સની એટલાન્ટીસ સાઇટ પર 27 એપ્રીલ 2024ના રોજ બનેલા બનાવમાં કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. પોલીસે માત્ર અકસમાત મોત નોંધી મામલામાં ભીનું સંકેલવાની કોશીષ કરી હોય તેવું લાગી રહ્યું છે.. ત્યારે બીજી તરફ કોર્પોરેશન ધ્વારા પણ ઘટનાને અનુલક્ક્ષીને કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

Social