આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની આજે સભા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આણંદ, ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે,વડાપ્રધાન મોદીના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

                  લોકસભા સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે, લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો જીતવા માટે ભાજપે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે સવારે 11 કલાકે આણંદ તાલુકાના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડા-આણંદ લોકસભા બેઠક માટેની સંયુક્ત જનસભા ગજવશે.
Social