ગુરુ ગોવિંદ દોનો ખડે કા કો લાગુ પાય, બલીહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય: સંત મુનિદાસજી મહારાજની 38 મી પુણ્યતિથિ નિમિત્તે મહાઆરતી લોકડાયરો યોજાયો

સાણંદના સુપ્રસિદ્ધ સંત મુનિ આશ્રમ જે નિધરાડ ખાતે આવેલું છે. અહીં બિરાજમાન પૂજ્ય સંત શ્રી મુનિબાપુ જેઓને બ્રહ્મલિન થયા 38 વર્ષ થયા, છતાં લોકોના હૃદય સ્થાને હાલ પણ ગુરુ તરીકે બિરાજમાન છે તેવા સુપ્રસિદ્ધ પૂજ્ય સંત મુનિદાસજી મહારાજની આડત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સાણંદ સંત મુનિ આશ્રમ ખાતે મહા આરતી તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ તેમજ આસપાસના તાલુકા તેમજ સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, બીરજુ બારોટ તેમજ સાજિંદાઓએ સત્સંગની મોજ કરાવી હતી.

Social