સરખેજમાં અજાણી મહિલા અધૂરા માસે જન્મેલુ ભૃણ મૂકીને ફરાર

શહેરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સાઓ સતત વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરખેજ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા અધૂરા માસે જન્મેલુ ભૃણ નાંખી દેવામાં આવ્યું હતું. જેને રખડતા કૂતરા દ્વારા મોંમા ભરાવી દેતા એક સફાઈ કામદાર મહિલા જોઈ ગઈ હતી. ત્યારબાદ લોકોને એકઠા કરીને આ ભૃણ કોણ નાંખી ગયું છે? તેની તપાસ કરી હતી અને પોલીસને પણ જાણ કરી હતી.

સરખેજમાં પીજીમાં સાફ સફાઈનું કામ કરીને ગુજરાન ચલાવતા મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પીજીમાં સાફ-સફાઈ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે તેઓ જમી પરવારીને એંઠવાડ નાંખવા માટે બહાર આવ્યા હતાં. ત્યારે એક કૂતરુ તેના મોંઢામાં નોળીયા જેવું કંઈ લઈને ઉભું હતું. ભાનુબેને કૂતરાને કાઢતાં કૂતરુ મોંમા રહેલુ ભૃણ મૂકીને ભાગી ગયું હતું. ભાનુબેને ત્યાં જઈને જોયું તે નોળિયા જેવુ નહીં પણ અધુરા માસે જન્મેલુ ભૃણ હતું.ત્યારબાદ મહિલાએ આસપાસના લોકોને બોલાવીને આ ભૃણ કોણ ફેંકી ગયું એની તપાસ કરી હતી, પણ કોઈ ભાળ મળી નહોતી. જેથી આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને ભૃણ ત્યજવા વાળી વ્યક્તિની શોધખોળ શરૂ કરી.

Social