અમરાઈવાડીમાં રીક્ષાની અંદરથી હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
અમરાઈવાડી શિવાજી નગર પાસે રીક્ષાની અંદરથી હત્યા કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે અમરાઈવાડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી કોઈ ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસ ને આશંકા હોવાથી પોલીસે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડીના શિવાજી નગર 1માં રહેતા કિશોર ઉર્ફે ચોટી મરાઠી તેમના પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની વંદના દિકરાને લઈને પિયરમાં જતા રહ્યા હતા. જેથી કિશોર હાલ એકલો ઘરે રહેતો હતો અને દારૂ પીવાની આદત પડી ગઈ હતી. આ દરમિયાન ગત 30 તારીખે સવારના સમયે ઘર પાસે પાર્ક રીક્ષામાં કિશોરને શરીરના ભાગે ઈજાઓ થયેલા હાલતમાં મૃત મળી આવ્યો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા પોલીસેને કરી હતી. અમરાઈવાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ પીએમ માટે મોકલી આપી તપાસ શરૂકરી હતી. પ્રાથિમક અનુમાનમાં કિશોર દારૂનો આધિન હોવાથી ક્યાંક પડ્યો હોવાથી ઈજાઓ પહોંચી હોવાનું માનવામાં આવ્યું હતુ. જો કે પીએમ રીપોર્ટમાં હથિયાર દ્વારા માર મારીને કિશોરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતુ. જેથી અમરાઈવાડી પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી છે.
