સાણંદ શહેરમાં નીલકંઠ સ્કૂલ દ્રારા 2 દિવસીય અનુભૂતિ કાર્યક્રમ યોજાશે.

સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 23 અને 24 ડિસેમ્બર ના  રોજ સવારે 9:00 થી 5:00 વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિસ્મય સભર નાનકડી શોધખોળોની પ્રસ્તુતિ એટલે અનુભૂતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અનુભૂતિમાં શાળાના બાળકો પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન કરશે. જેમાં મુખ્ય મહેમાન દર્શનકુમાર પટેલ, વરિષ્ટ વૈજ્ઞાનિક, ઈસરો તથા શ્રી કમલેશભાઈ ઉદાસી, પૂર્વ પ્રોજેક્ટ ડીરેક્ટર, ઈસરો અનુભૂતિનું તેમજ પુસ્તક પ્રદર્શન – વેચાણનું ઉદ્દઘાટન કરી પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન ખુલ્લું મુકશે. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનઆચાર્ય ડૉ. મનીષ દેત્રોજા દ્વારા વિદ્યાર્થીઓની શક્તિઓ બહાર લાવવા તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને વધુ દ્રઢ બનાવવા આયોજિત અનુભૂતિ કાર્યક્રમ તથા વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા અને જાણવા માટે સાણંદ નગરના પ્રજાજનોને જાહેર આમન્ત્રણ અપાયું છે .

Social