Breaking News
સાણંદના દોદર ગામે દીવાલ ધરાશાયી : સુતેલા યુવકનું મોત
સાણંદ તાલુકાના દોદર ગામે ભારે વરસાદને પગલે દીવાલ ઘરમાં સુતેલા યુવક પર મોત બનીને ધરાશયી થઇ હતી .
ઘટનાની સમગ્ર વિગતો એવી છે કે સાણંદ તાલુકાના દોદર ગામ ઇન્દિરા આવાસ યોજના ના પરામાં વરસાદના કારણે દિવાલ પડતા ઘરમાં નિદ્રામાં પોઢી રહેલ ૨૮ વર્ષીય દેવીપુજક દિલીપભાઈ સોમાભાઈનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું .ઓચિંતા બનાવને પગલે પરિવારજનો માથે જાણે આભ તૂટી પડ્યું હતું . આંતરે ઉલ્લેખનીય છે કે સાણંદમાં જર્જરિત મકાનો ઉતારી લેવા માટે પાલિકા તંત્ર દ્વારા વારંવાર નોટિસો અપાય છે ત્યારે આ પ્રકારના જે મકાનો હાલમાં પણ અસ્તિત્વમાં હોય તેવા મકાનો ઉતારી લેવા તાત્કાલિક પગલાં ભરાય તે જરૂરી છે જેથી આવી અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવી શકાય

