સાણંદ જલારામ મંદિરે ભાગવત કથાનો પ્રારંભ

બાપા જલારામ સત્સંગ મંડળ દ્વારા સાણંદ જલારામ મંદિરે સદગુરુ ભગવાન પૂજ્ય હરિરામબાપાની ૯૧ મી જન્મજયંતી નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાની વ્યાસપીઠે વક્તા અશ્વિનભાઈ જોશી બિરાજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે . કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૬ કલાકનો રહેશે ૨ સપ્ટેમ્બરના રોજ કથાની પુર્ણાહુતી ધામધૂમથી કરવામાં આવશે .પૂજ્ય હરિરામબાપાની ૯૧ મી જન્મજયંતીનો દિવસ એટલેકે ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ રાજેશભાઈ લશ્કરી બોટાદવાળાનો ભજન સત્સંગ કાર્યક્રમ તેમજ બ્રહ્મચોર્યાસી , દરિદ્રનારાયણ ભોજન તેમજ જ્ઞાતિ ભોજન કાર્યક્રમો પણ યોજાશે .

Social