રાંચરડામાં 24 તીર્થંકરની મૂર્તિ ધરાવતા દક્ષિણી શૈલીની કલાકૃતિ સાથે નિર્માણ પામેલ વિશ્વનું પ્રથમ જિનાલય
અમદાવાદના રાંચરડા ખાતે “શ્રી પાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ” જૈન તથા દ્રવિડ શૈલીનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જિનાલય નિર્માણ થયેલ છે. હવે તેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત 8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આજે 5 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સ્થળે સુંદર કલાકૃતિ યુક્ત જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા, બીમાર – વૃદ્ધ સાધુ-સાધ્વીજી ભગવંતોના સ્થિરવાસ માટે વૈયાવચ્ચ ધામ પણ નિર્માણ થશે. જીનાલયમાં મુળનાયક 51 ઇંચના ચૌમુખજી, 4 પરમાત્મા બિરાજમાન છે. આ સાથે જૈન ધર્મની વર્તમાન ચોવીસીના 24 તિર્થંકર પરમાત્મા, 9 અધિષ્ઠાયક દેવી- દેવતા જિનાલયમાં જિવંતતાની અનુભુતી કરાવે છે. ગુરુ ભગવંતોની સ્મૃતિમાં 4 સુંદર ગુરુ-મંદિર પણ નિર્માણ પામેલ છે. આ જીનાલય સંગેમરમરના પાષાણથી નિર્માણ થયેલી દક્ષિણી શૈલીનું કલાકૃતિ યુક્ત પાર્શ્વ પ્રેમ 24 જીનેશ્વર ધામ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતભરમાં એશ્વર્ય સમાન કલાકૃતિ છે.
જેનો ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 29 નવેમ્બરથી પ્રારંભ થયેલા એકાદશાન્હિ્કા મહોત્સવ છે. પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાશે. જેમાં 3 ડિસેમ્બર, મંગળવારે પરમાત્મા જન્મ કલ્યાણક ઉજવણી થઈ હતી. 6 ડિસેમ્બર શુક્રવારે પરામાત્માના દિક્ષા કલ્યાણક અંતર્ગત પરમાત્માના દિક્ષા, વર્ષીદાનનો ભવ્ય વરધોડો રથયાત્રા સાથે ઉજવણી થશે. 6 ડિસેમ્બરની રાતના શુભ મુર્હુતમાં પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય સહ અનેક આચાર્યો દ્વારા પરમાત્માની અંજની વિધિ કરાશે. 7 ડિસેમ્બરનાં રાત્રે માયાભાઈ આહિર દ્વારા જૈન ધર્મનું મહત્વ સમજાવતો ડાયરો યોજવામાં આવશે. 8 ડિસેમ્બર રવિવારે મંગળ- મુહુર્તે પુ.પૂ ગચ્છાધિપતિઓ તથા આચાર્યો દ્વારા પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
