મખિયાવ ગામે માલેશ્વર મહાદેવજીના મંદિરનો શિલાન્યાસ
સાણંદ તાલુકાના મખીયાવ ગામ ખાતે માલેશ્વર તળાવના કિનારે આવેલ અક્ષયકિર્તીમાન કુંવર માલદેવસિંહજી મહારાજના સ્મરણાર્થે બનેલ પૌરાણિક દેવાધિદેવ મહાદેવના મંદિરના જીર્ણોદ્વાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ગાંગડ ઠાકોર સાહેબ મહારાણા રઘુવીરસિંહજી વાઘેલા,સાણંદ ઠા.સા..મહારાણા ધ્રુવસિંહજી વાઘેલા તેમજ ગાંગડ યુવરાજ ભારદ્વાજસિંહજી વાઘેલા,મખીયાવથી યુવરાજસિંહજી વાઘેલા,સાણંદ તાલુકાના અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા(બકરાણા),સમાજના અગ્રણી નટુભા વાઘેલા(ગોધાવી),ધર્મરાજસિંહ વાઘેલા(છબાસર) તેમજ સાણંદ,બાવળા, ધોળકા વિરમગામથી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


