મેલાસણ ગામે તળાવમાં માછલી પકડવાની જાળમાં અજગર ફસાયો

સાણંદ નળસરોવર રોડ પર આવેલા મેલાસણ ગામનાં તળાવમાં મહાકાય અજગર માછલા પકડવાની જાળમાં ફસાઈ ગયો હતો. જેને જોવા ગામ લોકોનું ટોળું એકઠું થયું હતું. અજગરને કોઈ નુકશાન ન પહોંચાડે તે પહેલા ગામના રહેવાસી રોહિતભાઈ પટેલએ અજગરને જાળમાંથી બચાવી એનિમલ લાઇફ કેરના વિજય ડાભીને જાણ કરી હતી. એનિમલ લાઈફ કેરની ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
અજગરના શરીર પર માછલી પકડવાની જાળ લપટેલી હતી તે નીકાળવામાં આવી હતી અને અજગરને વધુ સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યો હતો. વિજય ડાભી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અજગર શિકારની શોધમાં તળાવમાં ગયો હોય માછલી પકડવાની જાળમાં ફસાઈ ગયો હોવાથી તેનું નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું. વધુ સમય જાળમાં ફસાઈ રહેવાથી અજગરનું મૃત્યુ પણ થઈ શકે છે જેથી આ અજગરને વધુ સારવારની જરૂર હોવાથી ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.