સાણંદ હરિઓમ સોસાયટીમાં ગટરના પાણીનો કાળો કેર:રહીશો ત્રસ્ત થઇ ઠેર ઠેર ભટકી રહ્યા છે ,સાંભળનાર કોઈ નથી

સાણંદની હરિઓમ સોસાયટી વિસ્તારમાં છેલ્લા દોઢેક વર્ષથી રોજે રોજ ગટરો ઉભરી રહી છે . હવે તો આ ગટરો એવી ઉભરાય છે કે પાડોશીઓ વચ્ચે મનદુઃખ ને ઝગડા ચાલુ થયા છે.ગટરના પાણીનો નિકાલ ન હોવા છતાં મુખ્ય લાઈનમાં લોકોએ આડેધડ કનેક્શનો આપી દેતા રોજે રોજ નરકાગાર જેવી સ્થૈતી પેદા થાય છે ને પછી શરુ થાય છે ઝગડા . આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ હરિઓમ સોસાયટી સાણંદમાં હોય જ નહિ એ રીતે નોધારી બની ગઈ છે , સોસાયટીમાં ઝગડા ની સાથે સાથે મચ્છરન ઉપદ્રવને કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે ત્યારે પાંચ વર્ષમાં એકજ વખત વોટ માંગવા આવતા એકેય આગેવાનો અહીં દર્શન પણ નથી આપી રહયા , રહીશો એક દફતરેથી બીજા દફતરે ભટકી રહ્યા છે પણ પરિસ્થિતિ સુધારવાને બદલે ગંભીર થઇ રહી છે ત્યારે ફરી એકવાર આ વિસ્તારના રહીશો આ મુદ્દે પાલિકા , મામલતદાર અને આરોગ્ય વિભાગ પાસે સોમવારે દોડી ગયા હતા , સૌએ કાયમની જેમ માત્ર આશ્વાસન આપ્યું હતું , આ રહીશોની સમસ્યા મુદ્દે કયારે એક્શન લેવાશે તે જોવું રહ્યું.

Social